Blogger Widgets અરમાન: શાળાઓએ વન ડે ટૂર માટે ડીઈઓની મંજૂરી લેવી પડશે

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Friday, February 7, 2014

શાળાઓએ વન ડે ટૂર માટે ડીઈઓની મંજૂરી લેવી પડશે

                   શહેરની શાળાઓમાં બીજા સત્રના આરંભ સાથે જ વન ડે સ્ટડી, પિકનિક ટૂરની મોસમ જામી છે. જોકે, શાળા સંચાલકોએ બાળકોના જ્ઞાનમાં વધારો થાય અને મનોરંજન મળે એ હેતુથી યોજાતી વન ડે ટૂરને પણ કમાણીનું સાધન બનાવી દીધું છે. તે સાથે જ ટૂર પર વિદ્યાર્થીઓની સુરક્ષાની યોગ્ય ટકેદારી લેવાતી નથી. ગત અઠવાડિયે મેટાસ એડવેન્ટિસ્ટ શાળાની વન ડે ટૂરમાં બાળકોને અકસ્માત નડયો હતો. શાળાઓની ટૂરમાં સમયાંતરે આ પ્રકારના બનાવો બનતાં રહે છે. તેને ધ્યાનમાં લેતાં જિલ્લા શિક્ષણાધિકારીએ કડક વલણ અપનાવતાં મનફાવે તેમ ટૂરનું પ્લાનિંગ કરી દેતી શાળાઓ પર તવાઇ આવી છે.
  • વાલીઓની સંમતિ લીધી હોવાનું બાંયધરી પત્રક આચાર્યએ રજૂ કરવું પડશે
  • મનફાવે તેમ સ્ટડી, પિકનિક ટૂરનું પ્લાનિંગ કરી દેતી શાળાઓ પર તવાઇ
જિલ્લા શિક્ષણાધિકારીએ શહેર, જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને હવે ટૂર માટે મંજૂરી લેવાનો આદેશ કર્યો છે. તે માટે વાલીઓની સંમતિ લીધી હોવાનું બાંયધરી પત્રક આચાર્યએ રજૂ કરવાનું રહેશે. તેમજ ટૂરનું પ્લાનિંગ કરવાના ૧૫ દિવસ પહેલાં શિક્ષણાધિકારી કચેરીને અરજી કરવાની રહેશે. તેમાં ટૂરમાં જનાર તમામ વિદ્યાર્થીઓનું લિસ્ટ અને પોલીસ કમિશનર, આર.ટી.ઓ.ની મંજૂરીની નકલ પણ રજૂ કરવાની રહેશે.
નોંધનીય છે કે, જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને કારણે મનફાવે તેમ ટૂરનું પ્લાનિંગ કરી દેતી અને વિદ્યાર્થીઓને ટૂરમાં ફરજિયાત જોડાવાનું દબાણ કરતી શાળાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
કારણ કે, વિદ્યાર્થીઓનું લિસ્ટ અને વાલીઓની સંમતિ લીધી હોવાનું બાંયધરીપત્રક રજૂ કરવાને કારણે શાળા સંચાલકોની નીતિની સાચી હકીકત ઉઘાડી પડી જશે.
આમ, જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાકીય ટૂરમાં બનતાં અકસ્માતના કિસ્સાઓને ડામવા માટેની કવાયત આરંભી છે. તેને કારણે મનફાવે તેમ સ્ટડી અને પીકનીક ટૂરનું આયોજન કરી દેતી શાળા સંચાલકોએ પ્લાનિંગ પહેલા વાલીઓની મંજૂરી લેવી પડશે અને પૂરતી કાળજી રાખવી પડશે.
ટૂરની મંજૂરી માટે રજૂ કરવાની માહિતી
૧          અરજી
૨          શૈક્ષણિક પ્રવાસનું સ્થળ અને સમય દર્શાવ પત્રક
૩          નદી, તળાવ, સમુદ્રકિનારે, વોટરપાર્કમાં નહીં લઇ જવાનું આચાર્યનું બાંયધરી પત્રક
૪          વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ, સરનામું, ધોરણ સહિતનું લિસ્ટ
૫          પોલીસ પરમિશનની નકલ
૬          આરટીઓ કચેરીની પરમિશનની નકલ
૭          વાલીઓનું સંમતિપત્રક મળ્યું છે તે અંગેનું આચાર્યનું બાંયધરી પત્ર

No comments:

Post a Comment