- વાલીઓની સંમતિ લીધી હોવાનું બાંયધરી પત્રક આચાર્યએ રજૂ કરવું પડશે
- મનફાવે તેમ સ્ટડી, પિકનિક ટૂરનું પ્લાનિંગ કરી દેતી શાળાઓ પર તવાઇ
નોંધનીય છે કે, જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને કારણે મનફાવે તેમ ટૂરનું પ્લાનિંગ કરી દેતી અને વિદ્યાર્થીઓને ટૂરમાં ફરજિયાત જોડાવાનું દબાણ કરતી શાળાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
કારણ કે, વિદ્યાર્થીઓનું લિસ્ટ અને વાલીઓની સંમતિ લીધી હોવાનું બાંયધરીપત્રક રજૂ કરવાને કારણે શાળા સંચાલકોની નીતિની સાચી હકીકત ઉઘાડી પડી જશે.
આમ, જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાકીય ટૂરમાં બનતાં અકસ્માતના કિસ્સાઓને ડામવા માટેની કવાયત આરંભી છે. તેને કારણે મનફાવે તેમ સ્ટડી અને પીકનીક ટૂરનું આયોજન કરી દેતી શાળા સંચાલકોએ પ્લાનિંગ પહેલા વાલીઓની મંજૂરી લેવી પડશે અને પૂરતી કાળજી રાખવી પડશે.
ટૂરની મંજૂરી માટે રજૂ કરવાની માહિતી
૧ અરજી
૨ શૈક્ષણિક પ્રવાસનું સ્થળ અને સમય દર્શાવ પત્રક૩ નદી, તળાવ, સમુદ્રકિનારે, વોટરપાર્કમાં નહીં લઇ જવાનું આચાર્યનું બાંયધરી પત્રક
૪ વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ, સરનામું, ધોરણ સહિતનું લિસ્ટ
૫ પોલીસ પરમિશનની નકલ
૬ આરટીઓ કચેરીની પરમિશનની નકલ
૭ વાલીઓનું સંમતિપત્રક મળ્યું છે તે અંગેનું આચાર્યનું બાંયધરી પત્ર
No comments:
Post a Comment