Blogger Widgets અરમાન: સાચી જીત

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, February 4, 2014

સાચી જીત



ચાના બાંકડે ચર્ચાએ જોર પકડ્યું હતું. એક જણ એક નવી રિલીઝ થયેલી ફિલ્મ જોઈને આવ્યું હતું અને બાકીના બધાએ એ ફિલ્મ જોઈ નહોતી. જો કે દેશના લાખો લોકોએ બેશક જોઈ હતી. અહીં આ જણ રાજાપાઠમાં હતું. એણે ફિલ્મની ચર્ચા એવી તો મસાલેદાર રીતે માંડી કે ના પૂછો વાત. ફિલ્મના દિગ્દર્શક સાહેબ આવે તો એને પણ એકવાર એવો પ્રશ્ન થઈ જ જાય આ જણની વાતો સાંભળીને, કે મારી ફિલ્મ વધારે સારી કે અહીં થતી એની રજૂઆત! બે ઘડી મોજ માટે ચર્ચા થાય એ એક વાત અને જેમાં કશી ભલીવાર ના હોય એ વાત પર ઊંડી ચર્ચા થાય એ બીજી વાત. લોકો કરે છેને આવું? સાવ સાદી વાતને પણ પતંગની જેમ ચગાવીને ક્યાંની ક્યાં લઈ જાય છેને? સામેવાળાને એમાં મજા આવે કે નહીં, એણે તો વાતો સાંભળવી પડે છે કે નહીં? બોલનારની શક્તિ અને સાંભળનારની મતિ, બેઉને એમાં નુકસાન થાય. એક બહુ જાણીતી કંપનીમાં ભલભલા નિર્ણય લેવા માટે થતી મીટિંગમાં સમયમર્યાદા અડધો કલાકની ઠરાવવામાં આવી છે. મીટિંગમાં આવનાર દરેક ઉચ્ચ અધિકારીએ પોતાની પૂર્વતૈયારી એવી રીતે કરવાની કે વારો આવે ત્યારે બે મિનિટમાં જે કહવાનું હોય એ કહી શકાય. બાકી યૉર ટાઇમ ઇઝ ઑવરની ઘંટી વાગી જાય. ચમત્કાર કહો તોય મોટાભાગના મહત્ત્વના નિર્ણય આ કંપનીમાં આવી અડધા કલાકની મીટિંગમાં લેવાઈ જ જાય છે. માત્રા રાખવાની ટેવ પાડીએ બોલવામાં અને વાતને ચગાવવાની આદતને હવે તડકે મૂકી દઈએ? કથા કરીને લોકોને જીતવા વક્તાઓ છે, આપણે કર્મ કરીને જીતવાના. બોલવું તો એટલું જ કે ખપનું હોય, લપનું ના હોય. વાચા વશમાં રહેશે તો તમારી અને મંજિલની વચમાં કોઈ નહીં આવી શકે. વાતો કરવા કરતાં એવાં કામ કરી જેની વાતો દુનિયાએ કરવી પડે. સાચી જીત એમાં જ છે.

No comments:

Post a Comment