મનુષ્યની માયાજાળ
એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ
અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે
જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ
નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ
કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા
મુદ્દાઓ હતા :
[11] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો.
પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના
મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ
શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.
EXCEL VIDEOS
સુવિચાર
Sunday, January 27, 2013
Saturday, January 12, 2013
હકારાત્મક વલણ ઘડવાના તરીકા
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
ભૂલ કરે ત્યારે એકરાર કરી
લે છે: ‘એ ભૂલમાં મારી જવાબદારી
રહેલી છે.’
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
ભૂલ કરે ત્યારે
તેમાંથી છૂટી જવા માંગે છે: ‘એમાં મારો કોઈ
વાંક નહોતો !’
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
જવાબદારી લેવામાં સંકોચ
અનુભવતો નથી.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
ઠાલા વચનો
આપવામાં હરકત જોતો નથી.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
અસફળ માણસ કરતાં વધુ કામ
કરે છે, અને છતાંય સમય ફાજલ રહે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
જે આવશ્યક અને
મહત્વનું હોય તે કરવા માટે સમય મળતો નથી.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
પોતાના અખતરામાં અસફળ
નીવડે તો તેમાંથી કઇંક શીખી લે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
પ્રયોગ કરતાં
મુશ્કેલી દેખાવા માંડે કે એને પડતો જ મૂકે છે.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
પોતાની સમસ્યાના ઉકેલ
માટે ઊંડાણમાં ઉતરવાનું પસંદ કરે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
પોતાની સમસ્યાની
આસપાસ ઘૂમ્યાં કરે છે, પણ તેમાં સોંસરો પ્રવેશતો નથી.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
સમસ્યા વેળા કહે છે: ‘એમાંથી કંઇક રસ્તો નીકળશે. ઉકેલ ખોળી
કાઢીએ.’
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
સમસ્યા વેળા કહે
છે કે: ‘એમાં કોઈ ઉકેલ હોય એમ હું
માનતો નથી.’
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
ક્યાં લડત આપવી અને ક્યાં
બાંધછોડ કરવી તે સારી પેઠે સમજે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
જ્યાં બાંધછોડ ન
કરવી જોઈએ ત્યાં તેમ કરે છે; લડવાનું બિનજરૂરી હોય ત્યાં લડત આપે છે.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
પોતે જે જાણતો નથી તે
સમજવા પ્રશ્નો પૂછે છે; બે મીનીટ મૂરખ દેખાય તો પરવા કરતો નથી.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
પોતે જે જાણતો
નથી તે જાણવા કોશિશ કરતો નથી, અને જીવનભર અજ્ઞાન રહેવાનું પસંદ કરે છે.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
વિચારે છે: ‘આ કામ કરવાની હજીય વધારે સારી રીતરસમ કઈ
હોઈ શકે.’
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
કહે છે: ‘આ જ એક રીત છે. વરસોથી અમે આમ જ કરતાં
કરતાં આવ્યા છીએ.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
બીજા ભલે તેને નિષ્ણાંત
માને તોય તે માનતો હોય છે: ‘મારે હજી ઘણું
શીખવાનું બાકી છે.’
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
પોતે કેટલું કમી
જાણે છે તે સમજતાં પહેલાં જ બીજો તેને નિષ્ણાંત માને એવું ઝંખે છે.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
જીવનમાં સફળ થવા માટે
કિંમત ચૂકવવા હંમેશ તૈયાર હોય છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
જીવનમાં આપમેળે
સફળતા મળી જાય એવી આશા રાખે છે.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
પોતાથી ચડિયાતા
હોય તેમનો આદર કરે છે; તેમની પાસેથી શીખવાની કોશિશ ક્રરે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
પોતાથી ચડિયાતા
પર રોષ કાઢતા રહે છે; તેની ખોડ શોધવામાં પ્રવૃત રહે છે.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
ભૂલો કરવાથી
ડરવાને બદલે તેને પોતાની કેળવણીનો એક ભાગ ગણી લે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
ભૂલ થવાની બીકે
કશી નવી અજમાયેશ કરવા તૈયાર હોતો નથી.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
બીજાની નબળાઈ
પ્રત્યે સહૃદયી હોય છે, અને પોતાની નબળાઈનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરી લે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
બીજાઓની નબળાઇને
તુચ્છકારથી જુએ છે, અને પોતાની નબળાઈનું અસ્તિત્વ જ સ્વીકારવા માંગતા નથી.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
પોતાની ભૂલ થયે
ખેદ અનુભવે છે; તે સુધારી લેવા તત્પર હોય છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
ભૂલ થતાં કહેશે: ‘હા, ભૂલ થઇ પણ જાય’ અને એની એ ભૂલનું પુનરાવર્તન કરતો રહેશે.
- જેના મનમાં
સફળતા
ઘૂમ્યા કરે છે તે
વર્તનમાં નમ્ર
રહે છે, છતાં મક્કમતાની લાગણી અનુભવે છે.
- જેના મનમાં
અસફળતા
પછી ગઈ છે તે
પોતાની નબળાઈ
ઢાંકવા ખાતર જીદનું શરણું લેતો હોય છે.
Subscribe to:
Posts (Atom)