એક બાગમાં બે વૃક્ષો હતા. એક બિલકુલ સુકાઇ ગયું હતું, જયારે બીજું લીલુંછમ હતું. સુકાઇ ગયેલા વૃક્ષ ઉપર એક ગીધ રહેતો હતો, જયારે બીજા પર કોયલ રહેતી હતી. તે બંને વચ્ચે ઘણીવાર વાદવિવાદ થઇ જતો હતો. ગીધ કહેતો હતો કે સંસાર મિથ્યા છે. જયારે કોયલ કહેતી કે સંસાર સત્ય છે. એક દિવસ એક પોપટે તેમનો આ વિવાદ સાંભળ્યો, તો તેણે કહ્યું કે નકામાં ના ઝઘડી મરશો. સંસાર પરિવર્તનશીલ છે. જેઓ સંસારની આસક્તિથી પર રહીને જીવે છે તેમના માટે જગત મિથ્યા છે, પરંતુ બાકીના માટે સત્ય છે. આ સત્યને અનુરૂપ જે પોતાને બનાવી લે છે તે જ આ સંસારનો સાચો અર્થ જાણી શકે છે.
No comments:
Post a Comment