Blogger Widgets અરમાન: સમૂહજીવનમાં વ્યક્તિગત વિનય અને વિવેક :

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, February 4, 2014

સમૂહજીવનમાં વ્યક્તિગત વિનય અને વિવેક :

(1)   બાળકો-કિશોરો માટે :
  • આપણાથી મોટા હોય તેને ‘તું’કારે ન બોલાવવા.
  • વાણીએ કરીને અપશબ્દો કે ગાળ ન બોલવી.
  • અન્યની ઉપર કે માતાપિતા ઉપર ક્રોધ ન કરો, સામે ન બોલવું.
  • આપણા વડીલોને તથા માતાપિતાને દરરોજ નીચા નમી ચરણસ્પર્શ કરી, “દયાળુ, રાજી રહેજો” કહેવાની ટેવ પાડીએ.
  • ઘરના કે અન્ય કોઈ પણ સભ્યો આપણને કોઈ કામ કે સેવા બતાવે તો તુરત ના ન પાડીએ.
  • આપણા કોઈ મિત્રોને પણ ચીડવવા નહિ, નામ ન પાડવાં.
  • આપણી ભૂલને તુરંત સ્વીકારતાં શીખવી.
  • ભાઈ કે બહેન સાથે કે અન્ય સાથે મારઝૂડ ન કરવી.
  • આપણાથી કોઈ દુભાઈ જાય તો નમ્ર ભાવે તેમની માફી માંગી લેવી.
  • ઘરના કામકાજમાં મદદરૂપ થવું.
(2)   યુવકો માટે :
  • ઘરના કોઈ સભ્યો સાથે તોછડાઈભરી વાણી ન ઉચ્ચારવી.
  • બિનજરૂરી ખર્ચા ઓછા કરી, કરકસર કરી, ઘરની આર્થિક સહાયમાં મદદ કરવી.
  • માતાપિતાને ટેન્શનમાંથી, નોકરી-ધંધામાંથી ધીરે ધીરે નિવૃત્ત કરવાં અને આપણે જવાબદારી વહન કરવી.
  • આપણા કરતાં મોટાં હોય, વડીલ હોય તેની મર્યાદા રાખવી, માન આપવું, આદર કરવો અને બેસવા માટે, સૂવા માટે યોગ્ય સ્થાન આપવું.
  • માતાપિતાને કહ્યા વગર ઘરની બહાહ કે મિત્રો સાથે ફરવા ન જવું.
  • આપણા ભણતર અંગે, હરવા-ફરવા અંગે માતાપિતા કંઈક પૂછે તો સાચો અને વિવેકપૂર્ણ ઉત્તર આપવો.
  • માતાપિતા કે ઘરના મનુષ્ય ઉપર હાથ ન ઉપાડવો.
  • આપણા ઘરે  આવેલા મહેમાનને મીઠો આવકાર આપવો, આગતા-સ્વાગતા કરવી.
  • કોઈ પણ સભ્યો સાથે કટાક્ષમાં વાત ન કરવી, કોઈની મશ્કરી ન કરવી.
  • આપણાથી નાનાં ભાઈ-બહેનને જોઈતી વસ્તુ આપી રાજી કરવાં.
  • નાનામોટાના બે શબ્દોને સહન કરતાં શીખીએ.
(3)   વાલીઓ માટે :
  • આપણાં વડીલ માતાપિતા સાથે બેહૂદું વર્તન ન કરવું; નહિ તો આપણો બાળક આપણામાંથી એવી જ પ્રેરણા લેશે અને આપણી સાથે એવું જ વર્તન કરશે.
  • બાળકોની હાજરીમાં તો ઝઘડા-કંકાસ, મારઝૂડ ન જ કરવાં.
  • આપનો બાળક કોઈની સાથે મારઝૂડ કરે કે સામો થઈ આવે તો રાજી ન થાવ કે કેવો બહાદૂર છે ! એને રોક-ટોક કરો. વિવેક શિખવાડવો.
  • નાનપણથી બાળકોને સંસ્કાર આપવા; જેવા કે,
1. કોઈની સામું ન બોલાય
2. કોઈનું અંતર દુભાય એવું ન બોલવું
3. જુઠ્ઠું ન બોલાય
4. કોઈનાં નામ ન પડાય
5. અપશબ્દો ન બોલાય
6. નાનીમોટી વસ્તુની ચોરી ન થાય
  • આપના બાળકનો તિરસ્કાર ન કરો, તરછોડશો નહિ, નાની નાની વાતમાં બાળક ઉપર અકળાઈ ન જવું.
  • બાળકના ઉત્સાહને કદી તોડી ન નાખો. બાળકની લાગણીને સમજવી.
  • બાળકને જરૂર છે આપના પ્રેમની, હૂંફની. માટે એની સાથે સમય કાઢો.
  • આખા દિવસનો બળાપો-ઊભરો ઘરનાં મહિલાસભ્ય ઉપર ન કાઢવો.
  • બાળકને આપનો ઉપદેશ જેટલો અસર નથી કરતો એટલું આપનું વર્તન વધુ અસરકારક બને છે. એ આપના જીવનમાંથી ઘણું બધું શીખે છે.
  • બાળકની હાજરીમાં અજુગતું કે વિષયાસક્ત વર્તન પણ ન કરવું. આપનો બાળક ભલે નાનો છે પરંતુ એ બધું જ સમજે છે.
(4)   વડીલો માટે :
  • આપણો સ્વભાવ થોડો શાંત કરીએ. નાની નાની વાતમાં ક્રોધાવેશમાં આવી ન જવું.
  • ઘરના વડીલ તરીકે ઘરમાં સંપ અને આત્મીયતા કરાવવામાં મદદરૂપ થઈએ.
  • નાની નાની વાતમાં દખલગીરી કરવી નહીં.
  • નાની વાતને મોટું સ્વરૂપ આપવું નહિ, રજનું ગજ ન કરવું.
  • વણમાંગી સલાહ આપ્યા કરવી નહીં.
  • દીકરો મોટો થયો એટલે એની સાથે પણ પ્રેમથી વાત કરવી, તોછડાઈભર્યું વર્તન કરવું નહીં.
  • રસોઈમાં કાંઈક ખારું, મોળું રહી ગયું હોય તો કજિયા-કંકાસ ન કરવા, થોડું ચલવી લેતાં શીખવું; પ્રેમથી ટકોર કરવી.
  • નાની નાની વાતમાં કોઈને રોક-ટોક ન કરવી.
  • નાના બાળકની જેમ કોઈ પણ વાતની જીદ ન કરવી.
(5)   મહિલા વર્ગ માટે :
  • સાસુએ પોતાની પુત્રવધૂને દીકરી તરીકે સ્વીકારી એની સાથે યોગ્ય વર્તન કરવું અને પુત્રવધૂએ સાસુને મા તરીકે સ્વીકારી મર્યાદા જાળવવી તથા યોગ્ય વર્તન કરવું.
  • પોતાના ઘરે આવેલ પુત્રવધૂના દોષો, અવગુણો અન્યની આગળ ગાવ નહીં. એ જ રીતે પુત્રવધૂએ પોતાની સાસુના દોષો, અવગુણો અન્યને કહેવા નહીં.
  • પુત્રવધૂ તરીકે સાસુમા દ્વારા થતી રોક-ટોક ને ભાર-ભીડાને સહન કરવાં. એમના માટેનો આદર ગુમાવવો નહીં.
  • સાસુએ પુત્રવધૂને નાની નાની વાતમાં ટોક-ટોક કરી કજિયા-કંકાસ ન કરવા. ભૂલ થાય તો એને સમજાવતાં શીખવું.
  • બસ, આપણા પરિવારમાં દરેક સભ્ય વ્યક્તિગત જીવનમાં આવો વિનય અને વિવેક કેળવે તો આપણા ઘરમાં સંપનું સર્જન થશે. અંતમાં આ પંક્તિને લક્ષ્યાર્થ કરીએ.
“ઐસી બાની બોલીએ, મન કા આપા ખોય;
ઓરન કું શીતલ કરે, આપ હું શીતલ હોય.”

No comments:

Post a Comment