સ્કોટલેન્ડમાં
ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. એક
વાર સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એણે “બચાવો,
બચાવો” એવી બુમો સાંભળી. એ ખેતરની બાજુમાં આવેલા ખાડા તરફ દોડ્યો.
તેણે જોયું કે એક નાનો બાળક રોડના કાંઠે આવેલ આ ખાડામાં ફસાઈ ગયો હતો. ફ્લેમિંગે એ
બાળકને બચાવ્યો.
બીજા દિવસે એ
બાળકના પિતા ફ્લેમિંગનો આભાર માનવા માટે એના ખેતર પર આવ્યા અને ફ્લેમિંગને કંઇક
મદદ જોઈતી હોય તો મદદની તૈયારી બતાવી. ફ્લેમિંગે વિનમ્રતાપૂર્વક ના પાડી અને
કહ્યું, “મેં જે કંઈ કર્યું છે એ તો માત્ર મારી એક માણસ તરીકેની ફરજ
હતી.”
આ બંને વચ્ચેની વાત ચાલતી હતી એ સમયે ફ્લેમિંગનો નાનો દીકરો રમતો રમતો ત્યાં આવ્યો
એટલે પેલા મહાનુભાવે પૂછ્યું, “તમારો આ બાળક શું અભ્યાસ કરે છે?”
ફ્લેમિંગે કહ્યું, “શેઠ, અમારા ખેડૂતના દીકરાના નસીબમાં ભણવાનું ના હોય. એ તો મારી
સાથે ખેતી કરશે.” પેલા મહાનુભાવે કહ્યું, “ના, તે મારા
દીકરાને બચાવ્યો છે તો હવે હું તારા દીકરાને ભણાવીશ.” એ મહાનુભાવ ફ્લેમિંગના
દીકરાને ભણાવવા માટે પોતાની સાથે લઇ ગયા.
વર્ષો વીતી ગયા.
બાળપણમાં ખાડામાં પડી ગયેલા જે બાળકને ફ્લેમિંગે બચાવ્યો હતો એ હવે યુવાન થઇ ગયો
હતો. પણ એ એની યુવાવસ્થામાં ન્યુમોનિયાના ભયાનક રોગમાં સપડાયો. પરંતુ એ સદનસીબ હતો
કે એ જ અરસામાં ન્યુમોનિયાની રસી પેનેસિલિનની શોધ થઇ હતી. આ શોધને કારણે એ યુવાન
બચી ગયો. આ યુવાનની જીવાદોરી સમાન પેનેસિલિનની શોધ કરનાર બીજું કોઈ નહિ પરંતુ પેલા
ખેડૂત ફ્લેમિંગનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતો અને નાનપણમાં ખેડૂતે બચાવેલો અને
મોટા થઈને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બચાવેલો માણસ એટલે “વી ફોર
વિક્ટરી” ના સુત્ર દ્વારા પડી ભાંગેલા બ્રિટનમાં નવી ચેતના ભરનાર વિન્સ્ટન
ચર્ચિલ.
ન્યુટનની ગતિનો
ત્રીજો નિયમ – આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય – એ
માત્ર ભૌતિકશાસ્ત્ર પૂરતો મર્યાદિત નથી. જીવનમાં પણ લાગુ પડે છે. કંઇક મેળવવું હોય
તો પહેલા કંઇક આપતા પણ શીખવું પડે.
No comments:
Post a Comment