Blogger Widgets અરમાન: બોધકથા: જેવું વાવો એવું ઊગે

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Friday, February 14, 2014

બોધકથા: જેવું વાવો એવું ઊગે

       સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. એક વાર સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એણે બચાવો, બચાવો એવી બુમો સાંભળી. એ ખેતરની બાજુમાં આવેલા ખાડા તરફ દોડ્યો. તેણે જોયું કે એક નાનો બાળક રોડના કાંઠે આવેલ આ ખાડામાં ફસાઈ ગયો હતો. ફ્લેમિંગે એ બાળકને બચાવ્યો.
       બીજા દિવસે એ બાળકના પિતા ફ્લેમિંગનો આભાર માનવા માટે એના ખેતર પર આવ્યા અને ફ્લેમિંગને કંઇક મદદ જોઈતી હોય તો મદદની તૈયારી બતાવી. ફ્લેમિંગે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું, મેં જે કંઈ કર્યું છે એ તો માત્ર મારી એક માણસ તરીકેની ફરજ હતી. આ બંને વચ્ચેની વાત ચાલતી હતી એ સમયે ફ્લેમિંગનો નાનો દીકરો રમતો રમતો ત્યાં આવ્યો એટલે પેલા મહાનુભાવે પૂછ્યું, તમારો આ બાળક શું અભ્યાસ કરે છે? ફ્લેમિંગે કહ્યું, શેઠ, અમારા ખેડૂતના દીકરાના નસીબમાં ભણવાનું ના હોય. એ તો મારી સાથે ખેતી કરશે. પેલા મહાનુભાવે કહ્યું, ના, તે મારા દીકરાને બચાવ્યો છે તો હવે હું તારા દીકરાને ભણાવીશ. એ મહાનુભાવ ફ્લેમિંગના દીકરાને ભણાવવા માટે પોતાની સાથે લઇ ગયા.
      વર્ષો વીતી ગયા. બાળપણમાં ખાડામાં પડી ગયેલા જે બાળકને ફ્લેમિંગે બચાવ્યો હતો એ હવે યુવાન થઇ ગયો હતો. પણ એ એની યુવાવસ્થામાં ન્યુમોનિયાના ભયાનક રોગમાં સપડાયો. પરંતુ એ સદનસીબ હતો કે એ જ અરસામાં ન્યુમોનિયાની રસી પેનેસિલિનની શોધ થઇ હતી. આ શોધને કારણે એ યુવાન બચી ગયો. આ યુવાનની જીવાદોરી સમાન પેનેસિલિનની શોધ કરનાર બીજું કોઈ નહિ પરંતુ પેલા ખેડૂત ફ્લેમિંગનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતો અને નાનપણમાં ખેડૂતે બચાવેલો અને મોટા થઈને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બચાવેલો માણસ એટલે વી ફોર વિક્ટરી ના સુત્ર દ્વારા પડી ભાંગેલા બ્રિટનમાં નવી ચેતના ભરનાર વિન્સ્ટન ચર્ચિલ.
      ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય એ માત્ર ભૌતિકશાસ્ત્ર પૂરતો મર્યાદિત નથી. જીવનમાં પણ લાગુ પડે છે. કંઇક મેળવવું હોય તો પહેલા કંઇક આપતા પણ શીખવું પડે.

No comments:

Post a Comment