Blogger Widgets અરમાન: March 2013

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Wednesday, March 20, 2013

સુવાક્યો - ૨

  1.  માત્ર શાસ્ત્રો વાંચીને ઈશ્વરને જાણવો તે તો એવી વાત છે કે જેમ નકશામાં બનારસ શહેર જોઈને એનું વિવરણ સંભળાવવું. -- રામકૃષ્ણ પરમહંસ
  2. સારો પ્રયાસ નિષ્ફળ જતો નથી. -- વિલ્સન
  3. અંત:કરણ એ અંદરનો અવાજ છે જે ચેતવણી આપે છે કે કોઈક જોઈ રહ્યું છે. --એચ.એલ.મેનકેન
  4. આપણું લક્ષ્ય એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
  5. તમારા દીકરાને એક ફૂલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સૂંઘી શકશે, એને છોડ ઉગાડવાનું શીખવી દો - એ રોજ સુવાસ માણી શકશો.
  6. પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.
  7. જયારે લક્ષ્ય હાંસલ થઇ શકે તેમ ન હોય ત્યારે તેને બદલવાને સ્થાને પ્રયાસો બદલવા જોઈએ. - કન્ફ્યુશિયસ
  8. વિશ્વમાં કશું પણ કાયમી નથી, આપણી સમસ્યાઓ પણ કાયમી નથી. - ચાર્લી ચેપ્લિન
  9. લેવામાં ક્ષણિક સુખ છે, આપવામાં અધિક સુખ છે.
  10. ઉધ્ધાર કરવા રામને વનમાં જવું પડે, અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું?
  11. એક અસત્ય છુપાવવા માટે અનેકવાર અસત્ય બોલવું પડે છે.
  12. ઉત્સાહથી મોટું કોઈ બળ નથી, ઉત્સાહી વ્યક્તિ માટે સંસારમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. -- વાલ્મિકી
  13. સમય, મૃત્યુ અને ગ્રાહક કોઈની રાહ જોતા નથી.
  14. જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ કરી શકતા નથી.
  15. જ્યાં ખોટું બોલવાનું પરિણામ સત્ય બોલવા જેટલું મંગલમય હોય ત્યાં ખોટું બોલવું ઉચિત છે. -- વેદ વ્યાસ
  16. વૃક્ષોને જાણ્યા પછી હું ધીરજનો અર્થ સમજી શકું છું. ઘાસને જાણ્યા પછી હું ટકી રહેવાની પ્રશંસા કરી શકું છું. - હેલ બોલેંન્ડ
  17. મનુષ્યનો દ્વેષ ઓછો કરી મુશ્કેલ સ્થિતિમાં પણ તે સત્ય સાથે અડગ રહે તે જ ધર્મનો સાચો ઉપદેશ. -- મહાત્મા ગાંધી
  18. જીવનમાં અનેકવાર એવાં પ્રસંગો ઊભા થાય છે, જયારે સામેવાળા માટે અત્યંત મહત્વની હોય એવી વાત એને કઈ રીતે કહેવી એ આપણને નથી સમજાતું.
  19. બળપૂર્વક પ્રેમ ધૃણા પેદા કરે છે, તેવી જ રીતે ધાર્મિક વિચારોથી મનુષ્યને વિવશ કરવાથી અવિશ્વાસ પેદા થાય છે. -- શોપેન હાવર
  20. પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે. -- જોન પોલ