- માત્ર શાસ્ત્રો વાંચીને ઈશ્વરને જાણવો તે તો એવી વાત છે કે જેમ નકશામાં બનારસ શહેર જોઈને એનું વિવરણ સંભળાવવું. -- રામકૃષ્ણ પરમહંસ
- સારો પ્રયાસ નિષ્ફળ જતો નથી. -- વિલ્સન
- અંત:કરણ એ અંદરનો અવાજ છે જે ચેતવણી આપે છે કે કોઈક જોઈ રહ્યું છે. --એચ.એલ.મેનકેન
- આપણું લક્ષ્ય એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
- તમારા દીકરાને એક ફૂલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સૂંઘી શકશે, એને છોડ ઉગાડવાનું શીખવી દો - એ રોજ સુવાસ માણી શકશો.
- પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.
- જયારે લક્ષ્ય હાંસલ થઇ શકે તેમ ન હોય ત્યારે તેને બદલવાને સ્થાને પ્રયાસો બદલવા જોઈએ. - કન્ફ્યુશિયસ
- વિશ્વમાં કશું પણ કાયમી નથી, આપણી સમસ્યાઓ પણ કાયમી નથી. - ચાર્લી ચેપ્લિન
- લેવામાં ક્ષણિક સુખ છે, આપવામાં અધિક સુખ છે.
- ઉધ્ધાર કરવા રામને વનમાં જવું પડે, અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું?
- એક અસત્ય છુપાવવા માટે અનેકવાર અસત્ય બોલવું પડે છે.
- ઉત્સાહથી મોટું કોઈ બળ નથી, ઉત્સાહી વ્યક્તિ માટે સંસારમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. -- વાલ્મિકી
- સમય, મૃત્યુ અને ગ્રાહક કોઈની રાહ જોતા નથી.
- જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ કરી શકતા નથી.
- જ્યાં ખોટું બોલવાનું પરિણામ સત્ય બોલવા જેટલું મંગલમય હોય ત્યાં ખોટું બોલવું ઉચિત છે. -- વેદ વ્યાસ
- વૃક્ષોને જાણ્યા પછી હું ધીરજનો અર્થ સમજી શકું છું. ઘાસને જાણ્યા પછી હું ટકી રહેવાની પ્રશંસા કરી શકું છું. - હેલ બોલેંન્ડ
- મનુષ્યનો દ્વેષ ઓછો કરી મુશ્કેલ સ્થિતિમાં પણ તે સત્ય સાથે અડગ રહે તે જ ધર્મનો સાચો ઉપદેશ. -- મહાત્મા ગાંધી
- જીવનમાં અનેકવાર એવાં પ્રસંગો ઊભા થાય છે, જયારે સામેવાળા માટે અત્યંત મહત્વની હોય એવી વાત એને કઈ રીતે કહેવી એ આપણને નથી સમજાતું.
- બળપૂર્વક પ્રેમ ધૃણા પેદા કરે છે, તેવી જ રીતે ધાર્મિક વિચારોથી મનુષ્યને વિવશ કરવાથી અવિશ્વાસ પેદા થાય છે. -- શોપેન હાવર
- પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે. -- જોન પોલ
EXCEL VIDEOS
સુવિચાર
Wednesday, March 20, 2013
સુવાક્યો - ૨
Subscribe to:
Posts (Atom)