1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ
વિચારોનું ગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું
કારખાનું બનાવો.
2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો
minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે… પણ તેને સાબિત કરતા આખી જીંદગી
લાગે છે..!!
3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવી પણ
ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં., એમાં સંબંધ ઉપર જ
પુર્ણવિરામ ના મુકી દેતા . !!
4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.
5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખ રુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.
6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે
7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને
ટેન્શન…ત્રણ “ટ” પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર ….
મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન….
8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જ ભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.
9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓ છે.
10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજય રથને
લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી,વિવેક બુદ્દિધને સારથી
બનાવી,સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા વિજય રથને જોતરી તમે સ્વયં
તેમાં બિરાજશો તો જીવન સંગ્રામ જીતશો.
11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે
ભૂતકાળને વલોવતો ના હોય, ભવિસ્યની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો
હોય તે સુખી છે.
13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.
14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી. તમે
કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી, તો તમને
કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.
15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી,વતૅન અને કમૅની સુગંધથી શોભે છે. 1
16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.
17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી
જેમ બીજા માટે વરસી જતાં ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા
કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ
ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.
18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવી ફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.
No comments:
Post a Comment