Blogger Widgets અરમાન: નિપુણ

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, November 26, 2012

નિપુણ



ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો:
  1. શાળામાં જળ જાળવણી માટે તમે કઈ પ્રવૃતિઓ કરશો?
  2.  'મેડીકલ વેસ્ટ' કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે?
  3.  અંગ્રેજી કેળવણીથી ભારતને લાભ થયો. કેવી રીતે?
  4. હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો.
  5.  બંગાળાના ભાગલાના શા પરિણામ આવ્યા?
  6. નર્મદા યોજના એ ઘણી મહત્તવની યોજના છે. તેનાથી કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહિ. આવો ચૂકાદો શા માટે આપ્યો? એના વિશે ચર્ચા કરી જણાવો.
  7. સર્વોચ્ચ અદાલતના કાર્યો જણાવો.
  8. સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિઓની પરંપરા, નિરક્ષરતા દૂર કરવા શું કરવું જોઈએ?
  9. ખેડા સત્યાગ્રહ અને ચંપારણ સત્યાગ્રહ વચ્ચેની સામ્યતા અને તફાવતની ચર્ચા કરો.
  10. 'અસહકારનું આંદોલન' પર ટૂંકનોંધ લખો:
  11. આતંકવાદ વિશે ટૂંકનોંધ લખો.
  12. બેકારી દૂર કરવાના ઉપાયો જણાવો.
  13. ભારતમાં કઈ વિદેશી કંપનીઓ સયુંકત સાહસ કરવા લાગી છે? તેનાંથી ભારતના કયા ક્ષેત્ર પર અસર પડી? ઉદાહરણ સાથે સમજાવો.
  14. 'સવિનય કાનૂનભંગ' વિશે ટૂંકનોંધ લખો.
  15. 'હિંદ છોડો ચળવળ' વિશે ટૂંકમાં પરિચય આપો.
  16. દેશી રાજ્યોનું વિલીનીકરણ વિશે ટૂંકમાં સમજાવો.
  17. ભારતનું બંધારણ વિશે ટૂંકનોંધ લખો.
  18. કેન્દ્ર સરકારને રાજ્યોની પુનર્રચના શા માટે કરવી પડી?
  19. હાલનું ગુજરાત રાજ્ય અત્યારે મુંબઈ રાજ્ય હોત તો શું થાત? ચર્ચા કરો.
  20. આફ્રિકાની આબોહવા અને વનસ્પતિ વિશે ટૂંકનોંધ લખો.
નીચેના વિષે ટૂંકનોંધ લખો:
  1. સ્વામી વિવેકાનંદ
  2. જ્યોતિબા ફૂલે
  3. લોકમાન્ય તિલક
  4. ભગતસિંહ
  5. ચંદ્રશેખર આઝાદ
  6. વાલીપણા સમિતિ
  7. યુનિસેફ
  8. સલામતી સમિતિના કાર્યો 

No comments:

Post a Comment