ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો:
- શાળામાં જળ જાળવણી માટે તમે કઈ પ્રવૃતિઓ કરશો?
- 'મેડીકલ વેસ્ટ' કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે?
- અંગ્રેજી કેળવણીથી ભારતને લાભ થયો. કેવી રીતે?
- હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો.
- બંગાળાના ભાગલાના શા પરિણામ આવ્યા?
- નર્મદા યોજના એ ઘણી મહત્તવની યોજના છે. તેનાથી કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહિ. આવો ચૂકાદો શા માટે આપ્યો? એના વિશે ચર્ચા કરી જણાવો.
- સર્વોચ્ચ અદાલતના કાર્યો જણાવો.
- સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિઓની પરંપરા, નિરક્ષરતા દૂર કરવા શું કરવું જોઈએ?
- ખેડા સત્યાગ્રહ અને ચંપારણ સત્યાગ્રહ વચ્ચેની સામ્યતા અને તફાવતની ચર્ચા કરો.
- 'અસહકારનું આંદોલન' પર ટૂંકનોંધ લખો:
- આતંકવાદ વિશે ટૂંકનોંધ લખો.
- બેકારી દૂર કરવાના ઉપાયો જણાવો.
- ભારતમાં કઈ વિદેશી કંપનીઓ સયુંકત સાહસ કરવા લાગી છે? તેનાંથી ભારતના કયા ક્ષેત્ર પર અસર પડી? ઉદાહરણ સાથે સમજાવો.
- 'સવિનય કાનૂનભંગ' વિશે ટૂંકનોંધ લખો.
- 'હિંદ છોડો ચળવળ' વિશે ટૂંકમાં પરિચય આપો.
- દેશી રાજ્યોનું વિલીનીકરણ વિશે ટૂંકમાં સમજાવો.
- ભારતનું બંધારણ વિશે ટૂંકનોંધ લખો.
- કેન્દ્ર સરકારને રાજ્યોની પુનર્રચના શા માટે કરવી પડી?
- હાલનું ગુજરાત રાજ્ય અત્યારે મુંબઈ રાજ્ય હોત તો શું થાત? ચર્ચા કરો.
- આફ્રિકાની આબોહવા અને વનસ્પતિ વિશે ટૂંકનોંધ લખો.
નીચેના વિષે ટૂંકનોંધ લખો:
- સ્વામી વિવેકાનંદ
- જ્યોતિબા ફૂલે
- લોકમાન્ય તિલક
- ભગતસિંહ
- ચંદ્રશેખર આઝાદ
- વાલીપણા સમિતિ
- યુનિસેફ
- સલામતી સમિતિના કાર્યો
No comments:
Post a Comment