Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, November 26, 2012

ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના વિધાનોના કારણો આપી સમજાવો:
  1. લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી થવાનો રિવાજ બંધ કરતો કાયદો ઘડ્યો.
  2. દયાનંદ સરસ્વતીએ 'શુદ્ધિકરણનીચળવળ' ચલાવી.
  3. ભગતસિંહ ક્રાંતિકારી પ્રવૃતિઓમાં જોડાયા.
  4. ભગવતીશરણનાં પત્ની દુર્ગાબહેન ઇતિહાસમાં દુર્ગાભાભી તરીકે જાણીતાં થયાં.
  5. માનવ સંસાધનને રાષ્ટ્રની મહત્વની મૂડી ગણી શકાય.
  6.  સિક્કિમ રાજ્યમાં વસ્તી ઓછી છે.
  7.  ઉત્તર પ્રદેશમાં વસ્તી વધારે પ્રમાણમાં છે.
  8. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો.
  9. સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  10. સ્વતંત્ર ભારતના બંધારણને 26 મી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવ્યું.
  11. ભારતમાં બધી જ સમસ્યાનું મૂળ વસ્તીવિસ્ફોટ છે.
  12. ભ્રષ્ટાચારથી મોંઘવારી વધે છે.
  13. સરકારે ખાનગીકરણની નીતિ અપનાવી છે.
  14. ભારતમાં સેવા ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.
  15. ઇંગ્લેન્ડની સરકારે ગોળમેજી પરિષદો યોજી.
  16. 'હિન્દ છોડો ચળવળ' દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી.
  17. દાંડીકૂચ વિશ્વમાં ઐતિહાસીક લડત ગણાય છે.
  18. નિ:શસ્ત્રીકરણ એ વિશ્વ માટે તાતી જરૂરિયાત છે.
  19. સલામતી સમિતિના કાયમી સભ્યને 'વીટો' સત્તા આપવામાં આવી છે.
  20. 'માનવહકો' ને સારો પ્રતિસાદ મળ્યો છે.
  21. ભારતને આઝાદી મળી તેની સાથે નિરાશ્રીતોનો પુન:વસવાટનો પ્રશ્ન ઊભો થયો.
  22. હૈદરાબાદ સામે લશ્કરી પગલાં ભરવા પડ્યા.
  23. ગાંધીજીની ના હોવા છતાં ભારતના ભાગલાનો નિર્ણય સ્વીકારવો પડ્યો.
  24. ઝાંઝીબારને લવિંગનો ટાપુ કહે છે.
  25. મૃત સમુદ્રમાં ડૂબી જવાતું નથી. 

No comments:

Post a Comment