ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના વિધાનોના કારણો આપી સમજાવો:
- લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી થવાનો રિવાજ બંધ કરતો કાયદો ઘડ્યો.
- દયાનંદ સરસ્વતીએ 'શુદ્ધિકરણનીચળવળ' ચલાવી.
- ભગતસિંહ ક્રાંતિકારી પ્રવૃતિઓમાં જોડાયા.
- ભગવતીશરણનાં પત્ની દુર્ગાબહેન ઇતિહાસમાં દુર્ગાભાભી તરીકે જાણીતાં થયાં.
- માનવ સંસાધનને રાષ્ટ્રની મહત્વની મૂડી ગણી શકાય.
- સિક્કિમ રાજ્યમાં વસ્તી ઓછી છે.
- ઉત્તર પ્રદેશમાં વસ્તી વધારે પ્રમાણમાં છે.
- દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો.
- સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
- સ્વતંત્ર ભારતના બંધારણને 26 મી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવ્યું.
- ભારતમાં બધી જ સમસ્યાનું મૂળ વસ્તીવિસ્ફોટ છે.
- ભ્રષ્ટાચારથી મોંઘવારી વધે છે.
- સરકારે ખાનગીકરણની નીતિ અપનાવી છે.
- ભારતમાં સેવા ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.
- ઇંગ્લેન્ડની સરકારે ગોળમેજી પરિષદો યોજી.
- 'હિન્દ છોડો ચળવળ' દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી.
- દાંડીકૂચ વિશ્વમાં ઐતિહાસીક લડત ગણાય છે.
- નિ:શસ્ત્રીકરણ એ વિશ્વ માટે તાતી જરૂરિયાત છે.
- સલામતી સમિતિના કાયમી સભ્યને 'વીટો' સત્તા આપવામાં આવી છે.
- 'માનવહકો' ને સારો પ્રતિસાદ મળ્યો છે.
- ભારતને આઝાદી મળી તેની સાથે નિરાશ્રીતોનો પુન:વસવાટનો પ્રશ્ન ઊભો થયો.
- હૈદરાબાદ સામે લશ્કરી પગલાં ભરવા પડ્યા.
- ગાંધીજીની ના હોવા છતાં ભારતના ભાગલાનો નિર્ણય સ્વીકારવો પડ્યો.
- ઝાંઝીબારને લવિંગનો ટાપુ કહે છે.
- મૃત સમુદ્રમાં ડૂબી જવાતું નથી.
No comments:
Post a Comment