જગતની વિચિત્રતા એવી છે કે જયારે વિનાશની આંધી વરસે છે ત્યારે લોકો કાળને દોષ દે છે. પણ જયારે નવસર્જન થાય છે ત્યારે લોકો પોતાની શક્તિ, સંપતિ અને પોતાનું કાર્ય એ સૌને આગળ ધરે છે. પણ માનવને એટલું સમજાતું નથી કે વિનાશના સમયે પોતાની બુદ્ધિ, સંપતિ કે કાર્ય શક્તિ કોઈ કામયાબ થઈ શકતા નથી અને એક ક્ષણમાં જ તારાજી થઇ જાય છે. તેમ માનવસર્જનમાં પણ ભગવાનની જ ઈચ્છા, શક્તિ અને પ્રેરણા કાર્ય કરે છે. માનવીનો આ ઘમંડ વિનાશની આંધીને નોતરે છે. સામાન્ય બાબતોમાં પણ જોવા મળે છે કે જયારે કોઈ કાર્યમાં સફળતા મળે ત્યારે તેનો યશ પોતાની જાતને મળે તેવો પ્રયત્ન મોટાભાગના માનવી કરતાં હોય છે, પરંતુ જયારે નિષ્ફળતા મળે ત્યારે તેનો દોષ પોતાની નીચે કામ કરતાં લોકો તેમજ સંજોગો વગેરેને આપતા હોય છે. માનવી જેમ સફળતાનો યશ પોતે લેવાનું ચૂકતો નથી, તેમ નિષ્ફળતાનો દોષ પણ કબૂલતા શીખવું જરૂરી છે.
No comments:
Post a Comment