Blogger Widgets અરમાન: સંદેશ

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, December 13, 2012

સંદેશ

          જગતની વિચિત્રતા એવી છે કે જયારે વિનાશની આંધી વરસે છે ત્યારે લોકો કાળને દોષ દે છે. પણ જયારે નવસર્જન થાય છે ત્યારે લોકો પોતાની શક્તિ, સંપતિ અને પોતાનું કાર્ય એ સૌને આગળ ધરે છે. પણ માનવને એટલું સમજાતું નથી કે વિનાશના સમયે પોતાની બુદ્ધિ, સંપતિ કે કાર્ય શક્તિ કોઈ કામયાબ થઈ શકતા નથી અને એક ક્ષણમાં જ તારાજી થઇ જાય છે. તેમ માનવસર્જનમાં પણ ભગવાનની જ ઈચ્છા, શક્તિ અને પ્રેરણા કાર્ય કરે છે. માનવીનો આ ઘમંડ વિનાશની આંધીને નોતરે છે. સામાન્ય બાબતોમાં પણ જોવા મળે છે કે જયારે કોઈ કાર્યમાં સફળતા મળે ત્યારે તેનો યશ પોતાની જાતને મળે તેવો પ્રયત્ન મોટાભાગના માનવી કરતાં હોય છે, પરંતુ જયારે નિષ્ફળતા મળે ત્યારે તેનો દોષ પોતાની નીચે કામ કરતાં લોકો તેમજ સંજોગો વગેરેને આપતા હોય છે. માનવી જેમ સફળતાનો યશ પોતે લેવાનું ચૂકતો નથી, તેમ નિષ્ફળતાનો દોષ પણ કબૂલતા શીખવું જરૂરી છે.

No comments:

Post a Comment