Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Saturday, November 24, 2012


ધોરણ ૮ માટે ઉપયોગી બીજા સત્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અગત્ય઼ની પ્રશ્નાવલી:---
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 
    1. ચૂનાના તાજાં નીતર્યા પાણીમાં થોડો સમય સુધી કાર્બન ડાયોક્સાઈડ પસાર કરતાં તે દૂધિયું બનેલું દેખાય છે.
    2. પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર રાખે છે.
    3. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે.
    4. તત્વનો પાયાનો એકમ પરમાણુ છે જ્યારે સંયોજનનો પાયાનો એકમ અણું છે.
    5. ઘડિયાળી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે.
    6. અશ્મિ બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોત છે.
    7. પેટ્રોલ, ડીઝલ જેવા પદાર્થોનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ.
    8. પ્લાસ્ટીકનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે.
    9. પર્યાવરણની જાળવણી કરવી આપણી નૈતિક ફરજ છે.
 તફાવતના બે-બે મુદા લખો:
  1. અણુ અને પરમાણુ
  2. પરમાણુ અને આયન
  3. પ્રોટોન અને ઇલેક્ટ્રોન
  4. ધાતુ અને અધાતુ
  5. બહિર્ગોળ કેન્દ્ર અને અંતર્ગોળ કેન્દ્ર
  6. મૂત્રપિંડ અને મૂત્રાશય
  7. શુક્રપિંડ અને અંડપિંડ
  8. સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન
  9. પેટ્રોલ અને ડીઝલ

No comments:

Post a Comment