ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:- ઠક્કરબાપાએ 'પંચમહાલ ભીલ સેવામંડળ' ની સ્થાપના કરી.
- દિલ્હીમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવી.
- સર સૈયદ અહમદખાને વહાબી આંદોલન ચલાવ્યું.
- રાજા રામમોહનરાયે આર્ય સમાજની સ્થાપના 1875 માં કરી હતી.
- રામકૃષ્ણ મિશન મઠના અનુયાયીઓએ 'જનસેવા એ જ પ્રભુસેવા' ની મંત્ર અપનાવ્યો છે.
- કવિ મલબારીએ પારસીસમાજમાં 1891 માં લગ્ન માટે સંમતિવયનો કાયદો ઘડાવ્યો હતો.
- જ્યોતિબા ફૂલે કેરલના સમાજસુધારક અને સંત હતાં.
- 'અખિલ હિંદ હરિજન સંઘ' ના મંત્રી તરીકે ગાંધીજીએ સેવા આપી હતી.
- ઈ.સ. 1875 માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના થઇ હતી.
- સ્વામી વિવેકાનંદે હિંદુધર્મમાં શુદ્ધિ ચળવળ ચલાવી હતી.
- હવાના વધુ પડતા પ્રદૂષણથી ગૂંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે.
- વાહનોના ધ્વનિ નિયંત્રણ માટે P.V.C. નો કડક અમલ કરાવવો જોઈએ.
- આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
- વિશ્વ પર્યાવરણ દિન 5 મી સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે.
- પ્રદૂષણ માનવજીવન માટે અનિવાર્ય છે.
- અંગ્રેજોની આર્થિક નીતિઓએ ભારતને સમૃદ્ધ બનાવ્યું.
- તાર, ટપાલ, રેલવે અને અંગ્રેજી કેળવણીના લીધે ભારતને પરોક્ષ રીતે લાભ થયો.
- હિંદી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન દિલ્હીમાં યોજાયું હતું.
- હિંદી રાષ્ટ્રીય મહાસભાના ઈ.સ. 1907 માં સુરત અધિવેશનમાં ભાગલા પડી ગયા.
- બંગાળાના ભાગલા પાડવા પાછળ અંગ્રેજોનો હેતુ ભારતનું કલ્યાણ કરવાનો હતો.
- ઈ.સ. 1907 માં બંગાળામાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરુ કરવામાં આવી.
- 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે હું મેળવીને જ જંપીશ' એવું ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું હતું.
- ઈ.સ. 1939 માં દ્વિતીય વિશ્વયુધ્ધની શરૂઆત થઈ.
- 4 જુલાઈ, 1943 ના રોજ 'આઝાદહિંદ ફોજ' ના સર્વોચ્ચ નેતા તરીકે ગાંધીજીની વરણી કરવામાં આવી.
- લાલા લજપતરાયને 'શેર-એ-પંજાબ' ની નામના મળી હતી.
- ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
- મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેરહિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ન્યાય વ્યવસ્થામાં સામાન્ય વ્યક્તિ કોઈ પણ તાકાતવર વિરુદ્ધમાં કેસ જીતી શકતી નથી.
- ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગોમાંનું મહત્વનું અંગ છે.
- હાલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશપદે સતીષ હોમી કાપડિયા છે.
- ભગતસિંહે ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી હતી.
- ચંદ્રશેખરે 'ઇન્કલાબ ઝિંદાબાદ' નો નારો આપ્યો.
- ઈ.સ. 1966 માં વીર સાવરકર અવસાન પામ્યા.
- શહીદ વીર કિનારીવાલાનું સ્મારક અમદાવાદમાં આવેલુ છે.
- અંગ્રેજ અફસર કાયલીના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી.
- .બોમ્બ પરીક્ષણ કરવા જતાં ભગવતીશરણ વોરાના પત્નીનું અવસાન થયું હતું.
- ઈ.સ. 2011 માં થયેલી વસ્તીગણતરી આઝાદી પછીની સાતમી વખતની હતી.
- વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
- વસ્તીવધારો દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવે છે.
- બાળલગ્ન, નિરક્ષરતા અને ગરીબી જેવા પરિબળો વસ્તીવધારા માટે જવાબદાર છે.
- ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ઔદ્યોગીક વિસ્તારો અને મેદાન વિસ્તારોમાં જોવા મળે છે.
- ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ વસ્તી અટકાવવામાં ઉપયોગી બને છે.
- જાતિપ્રમાણની દ્રષ્ટિએ કેરલ અગ્રસ્થાને છે.
- ગુજરાતમાં દર હજાર પુરુષોએ 918 સ્ત્રીઓનું પ્રમાણ છે.
- ખેડા સત્યાગ્રહ ગાંધીજીએ અંગ્રેજ સરકારની વિરુદ્ધ કર્યો હતો.
- 13 મી એપ્રિલે જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે બેફામ ગોળીબાર કરાવ્યો.
- ઈ.સ. 1914 માં રોલેટ એક્ટ ઘડાયો.
- ગાંધીજીએ ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો.
- બોરસદ સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી.
- અસહકારની લડત સફળ રહી.
- ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તીવિસ્ફોટ છે.
- ભ્રષ્ટાચાર એ સમાજનું મોટામાં મોટું દૂષણ છે.
- કમ્પ્યુટર કાર્યપ્રણાલીથી બેકારીમાં વધારો થાય છે.
- મોંઘવારી આમ પ્રજા માટે આશીર્વાદરૂપ છે.
- લાંચરુશ્વત વિરોધી બ્યુરો નિરક્ષરતાની તપાસ કરે છે.
- આતંકવાદીનો ઉદેશ શ્રેષ્ઠ અને પવિત્ર હોય છે.
- ઉદારીકરણ અને ખાનગીકરણે વૈશ્વિકીકરણને જન્મ આપ્યો છે.
- રિલાયન્સની કંપની જાહેર ક્ષેત્રની મોટી કંપની છે.
- પશુપાલન એ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.
- સયુંકત ક્ષેત્રમાં સરકારનું ઉદ્યોગો પર વર્ચસ્વ જળવાઈ રહે છે.
- જાહેર ક્ષેત્રમાં નિશ્ચિત કરેલા કલાકો સુધી જ કામ કરવાનું હોય છે.
- તીવ્ર સ્પર્ધા થવાથી માલ-સામાનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઓછા ભાવે ચીજો મેળવી શકાય છે.
- જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ.
- ઈ.સ. 1939 માં બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં પાકિસ્તાનને જોડી દીધું.
- 'હિંદ છોડો આંદોલન' માં ગાંધીજીએ ફ્રેન્ચોને તાત્કાલિક ભારત છોડવાની ચેતવણી આપી.
- ભારત છોડીને ચાલ્યા જવાની બ્રિટિશ પાર્લામેન્ટની જાહેરાતને ગાંધીજીએ સૌથી ઉમદા કૃત્ય તરીકે આવકારી.
- 'સીધા પગલાં દિન' મુસ્લિમ લીગે 15 ઓગસ્ટ, 1947 ના રોજ ઉજવ્યો.
- ઈ.સ. 1968 ના વર્ષને આંતરરાષ્ટ્રીય માનવહક વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું હતું.
- યુનિસેફ્નું વડું મથક પેરિસમાં આવેલું છે.
- યુદ્ધો અટકે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યુનો જેવી સંસ્થાની જરૂર પડે છે.
- પ્રથમ વિશ્વયુદ્ધ પછી સયુંકત રાષ્ટ્રોની સ્થાપના થઇ.
- ભારતમાં દર વર્ષે 10 મી ડિસેમ્બરે 'માનવઅધિકાર દિન' ની ઊજવણી કરવામાં આવે છે.
- ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો.
- હૈદરાબાદનો શાસનકર્તા નિઝામ હતો.
- બંધારણના પ્રમુખપદે ડૉ. બાબાસાહેબ આંબેડકર હતાં.
- 26 મી જાન્યુઆરીને આપણે સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવીએ છીએ.
- 14 ઓગસ્ટ, 1947 ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું.
- રવિશંકર મહારાજે મહાગુજરાત ચળવળની આગેવાની લીધી હતી.
- 'રાજ્ય પુનર્રચના પંચ' ની નિમણૂક કરી ફઝલઅલીને અધ્યક્ષપદે નીમવામાં આવ્યા.
- પોંડિચેરી, કરૈક્લ(તમિલનાડુ) પર પોર્ટુગીઝોનો અંકુશ હતો.
- ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું.
- ભારત અને પાકિસ્તાન બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો નથી.
- એશિયા ખંડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે.
- ચેરાપુંજી ભારતના અસમ રાજ્યમાં આવેલું છે.
- જાપાની લોકો ચામડાના તંબુમાં રહે છે.
- ઉનાળામાં મધ્ય એશિયામાં તાપમાન ઊંચું રહે છે.
- આરબ લોકો ઉનાળામાં ગરમ કપડાં પહેરે છે.
No comments:
Post a Comment