Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, November 26, 2012

ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
  1. ઠક્કરબાપાએ 'પંચમહાલ ભીલ સેવામંડળ' ની સ્થાપના કરી.
  2. દિલ્હીમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવી.
  3. સર સૈયદ અહમદખાને વહાબી આંદોલન ચલાવ્યું.
  4. રાજા રામમોહનરાયે આર્ય સમાજની સ્થાપના 1875 માં કરી હતી.
  5. રામકૃષ્ણ મિશન મઠના અનુયાયીઓએ 'જનસેવા એ જ પ્રભુસેવા' ની મંત્ર અપનાવ્યો છે.
  6. કવિ મલબારીએ પારસીસમાજમાં 1891 માં લગ્ન માટે સંમતિવયનો કાયદો ઘડાવ્યો હતો.
  7. જ્યોતિબા ફૂલે કેરલના સમાજસુધારક અને સંત હતાં.
  8. 'અખિલ હિંદ હરિજન સંઘ' ના મંત્રી તરીકે ગાંધીજીએ સેવા આપી હતી.
  9. ઈ.સ. 1875 માં અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના થઇ હતી.
  10. સ્વામી વિવેકાનંદે હિંદુધર્મમાં શુદ્ધિ ચળવળ ચલાવી હતી.
  11. હવાના વધુ પડતા પ્રદૂષણથી ગૂંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે.
  12. વાહનોના ધ્વનિ નિયંત્રણ માટે P.V.C. નો કડક અમલ કરાવવો જોઈએ.
  13. આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
  14. વિશ્વ પર્યાવરણ દિન 5 મી સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે.
  15. પ્રદૂષણ માનવજીવન માટે અનિવાર્ય છે.
  16. અંગ્રેજોની આર્થિક નીતિઓએ ભારતને સમૃદ્ધ બનાવ્યું.
  17. તાર, ટપાલ, રેલવે અને અંગ્રેજી કેળવણીના લીધે ભારતને પરોક્ષ રીતે લાભ થયો.
  18. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન દિલ્હીમાં યોજાયું હતું.
  19. હિંદી રાષ્ટ્રીય મહાસભાના ઈ.સ. 1907 માં સુરત અધિવેશનમાં ભાગલા પડી ગયા.
  20. બંગાળાના ભાગલા પાડવા પાછળ અંગ્રેજોનો હેતુ ભારતનું કલ્યાણ કરવાનો હતો.
  21. ઈ.સ. 1907 માં બંગાળામાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરુ કરવામાં આવી.
  22. 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે હું મેળવીને જ જંપીશ' એવું ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું હતું.
  23. ઈ.સ. 1939 માં દ્વિતીય વિશ્વયુધ્ધની શરૂઆત થઈ.
  24. 4 જુલાઈ, 1943 ના રોજ 'આઝાદહિંદ ફોજ' ના સર્વોચ્ચ નેતા તરીકે ગાંધીજીની વરણી કરવામાં આવી.
  25. લાલા લજપતરાયને 'શેર-એ-પંજાબ' ની નામના મળી હતી.
  26. ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
  27. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેરહિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  28. ન્યાય વ્યવસ્થામાં સામાન્ય વ્યક્તિ કોઈ પણ તાકાતવર વિરુદ્ધમાં કેસ જીતી શકતી નથી.
  29. ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગોમાંનું મહત્વનું અંગ છે.
  30. હાલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશપદે સતીષ હોમી કાપડિયા છે.
  31. ભગતસિંહે ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી હતી.
  32. ચંદ્રશેખરે 'ઇન્કલાબ ઝિંદાબાદ' નો નારો આપ્યો.
  33. ઈ.સ. 1966 માં વીર સાવરકર અવસાન પામ્યા.
  34. શહીદ વીર કિનારીવાલાનું સ્મારક અમદાવાદમાં આવેલુ છે.
  35. અંગ્રેજ અફસર કાયલીના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી.
  36. .બોમ્બ પરીક્ષણ કરવા જતાં ભગવતીશરણ વોરાના પત્નીનું અવસાન થયું હતું.
  37. ઈ.સ. 2011 માં થયેલી વસ્તીગણતરી આઝાદી પછીની સાતમી વખતની હતી.
  38. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
  39. વસ્તીવધારો દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવે છે.
  40. બાળલગ્ન, નિરક્ષરતા અને ગરીબી જેવા પરિબળો વસ્તીવધારા માટે જવાબદાર છે.
  41. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ઔદ્યોગીક વિસ્તારો અને મેદાન વિસ્તારોમાં જોવા મળે છે.
  42. ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ વસ્તી અટકાવવામાં ઉપયોગી બને છે.
  43. જાતિપ્રમાણની દ્રષ્ટિએ કેરલ અગ્રસ્થાને છે.
  44. ગુજરાતમાં દર હજાર પુરુષોએ 918 સ્ત્રીઓનું પ્રમાણ છે.
  45. ખેડા સત્યાગ્રહ ગાંધીજીએ અંગ્રેજ સરકારની વિરુદ્ધ કર્યો હતો.
  46. 13 મી એપ્રિલે જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે બેફામ ગોળીબાર કરાવ્યો.
  47. ઈ.સ. 1914 માં રોલેટ એક્ટ ઘડાયો.
  48. ગાંધીજીએ ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો.
  49. બોરસદ સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી.
  50. અસહકારની લડત સફળ રહી.
  51. ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તીવિસ્ફોટ છે.
  52. ભ્રષ્ટાચાર એ સમાજનું મોટામાં મોટું દૂષણ છે.
  53. કમ્પ્યુટર કાર્યપ્રણાલીથી બેકારીમાં વધારો થાય છે.
  54. મોંઘવારી આમ પ્રજા માટે આશીર્વાદરૂપ છે.
  55. લાંચરુશ્વત વિરોધી બ્યુરો નિરક્ષરતાની તપાસ કરે છે.
  56. આતંકવાદીનો ઉદેશ શ્રેષ્ઠ અને પવિત્ર હોય છે.
  57. ઉદારીકરણ અને ખાનગીકરણે વૈશ્વિકીકરણને જન્મ આપ્યો છે.
  58. રિલાયન્સની કંપની જાહેર ક્ષેત્રની મોટી કંપની છે.
  59. પશુપાલન એ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.
  60. સયુંકત ક્ષેત્રમાં સરકારનું ઉદ્યોગો પર વર્ચસ્વ જળવાઈ રહે છે.
  61. જાહેર ક્ષેત્રમાં નિશ્ચિત કરેલા કલાકો સુધી જ કામ કરવાનું હોય છે.
  62. તીવ્ર સ્પર્ધા થવાથી માલ-સામાનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઓછા ભાવે ચીજો મેળવી શકાય છે.
  63.  જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ.
  64. ઈ.સ. 1939 માં બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં પાકિસ્તાનને જોડી દીધું.
  65. 'હિંદ છોડો આંદોલન' માં ગાંધીજીએ ફ્રેન્ચોને તાત્કાલિક ભારત છોડવાની ચેતવણી આપી.
  66. ભારત છોડીને ચાલ્યા જવાની બ્રિટિશ પાર્લામેન્ટની જાહેરાતને ગાંધીજીએ સૌથી ઉમદા કૃત્ય તરીકે આવકારી.
  67. 'સીધા પગલાં દિન' મુસ્લિમ લીગે 15 ઓગસ્ટ, 1947 ના રોજ ઉજવ્યો.
  68. ઈ.સ. 1968 ના વર્ષને આંતરરાષ્ટ્રીય માનવહક વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું હતું.
  69. યુનિસેફ્નું વડું મથક પેરિસમાં આવેલું છે.
  70. યુદ્ધો અટકે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે યુનો જેવી સંસ્થાની જરૂર પડે છે.
  71. પ્રથમ વિશ્વયુદ્ધ પછી સયુંકત રાષ્ટ્રોની સ્થાપના થઇ.
  72. ભારતમાં દર વર્ષે 10 મી ડિસેમ્બરે 'માનવઅધિકાર દિન' ની ઊજવણી કરવામાં આવે છે.
  73. ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો.
  74. હૈદરાબાદનો શાસનકર્તા નિઝામ હતો.
  75. બંધારણના પ્રમુખપદે ડૉ. બાબાસાહેબ આંબેડકર હતાં.
  76. 26 મી જાન્યુઆરીને આપણે સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવીએ છીએ.
  77. 14 ઓગસ્ટ, 1947 ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું.
  78. રવિશંકર મહારાજે મહાગુજરાત ચળવળની આગેવાની લીધી હતી.
  79. 'રાજ્ય પુનર્રચના પંચ' ની નિમણૂક કરી ફઝલઅલીને અધ્યક્ષપદે નીમવામાં આવ્યા.
  80. પોંડિચેરી, કરૈક્લ(તમિલનાડુ) પર પોર્ટુગીઝોનો અંકુશ હતો.
  81. ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું.
  82. ભારત અને પાકિસ્તાન બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો નથી.
  83. એશિયા ખંડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે.
  84. ચેરાપુંજી ભારતના અસમ રાજ્યમાં આવેલું છે.
  85. જાપાની લોકો ચામડાના તંબુમાં રહે છે.
  86. ઉનાળામાં મધ્ય એશિયામાં તાપમાન ઊંચું રહે છે.
  87. આરબ લોકો ઉનાળામાં ગરમ કપડાં પહેરે છે. 

No comments:

Post a Comment