Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, November 26, 2012

ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો
  1. ............................ સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો.
  2. દયાનંદ સરસ્વતિએ ............................. નામના ગ્રંથની રચના કરી.
  3. 'રાશ્ત ગોફતાર' નામનું સામયિક ........................ સંસ્થાએ શરું કર્યું.
  4. જ્યોતિબા ફૂલેએ .............................  ની સ્થાપના કરી.
  5. રાજા રામમોહનરાયનું અવસાન ........................ માં થયું.
  6. મોટા જહાજો અને સબમરીનો દરિયામાં .................... નું પ્રદૂષણ ફેલાવે છે.
  7. ઉપજાઉ જમીન ઓછી થતાં ................... ની તંગી ઊભી થવાની શક્યતા છે.
  8. મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાથી ધ્વનિનું ....................... થાય છે.
  9. પ્લાસ્ટિક જમીનમાં .............. નથી અને જમીન બગાડે છે.
  10. વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી વાતાવરણમાં ..................... વાયુ વધી રહ્યો છે.
  11. ભારતના લોકોને લોકશાહીની પ્રેરણા .................. સંગ્રામમાંથી મળી.
  12. સર એલન ઓક્ટોવિયમ હ્યુમનના પ્રયત્નોથી ડિસેમ્બર 1885 માં ...............ની સ્થાપના કરવામાં આવી.
  13. ઈ.સ. ............... માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી.
  14. ઈ.સ. ............... માં હોમરૂલ ચળવળ શરુ થઇ.
  15. લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ ......................... અને ...................... વર્તમાનપત્રો શરું કર્યા.
  16. શ્રીમતી એની બેસન્ટે તેમના સાપ્તાહિક .................... માં ગૃહ સ્વરાજ મેળવવા સંબંધી લેખો લખ્યા.
  17. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસની સામે ................... નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.
  18. 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' સુત્ર ......................... એ આપ્યું હતું.
  19. મુસ્લિમ લીગની સ્થાપના ઈ.સ. ................... માં ઢાકામાં થઈ હતી.
  20. કોંગ્રસ અને મુસ્લિમ લીગ વચ્ચે ઈ.સ.  1916 માં ...................... મુકામે સમજૂતી કરાર થયા.
  21. વંદે માતરમ્ ગીતના રચયિતા ................................ હતાં.
  22. સમગ્ર ભારતીય પ્રજાના હિતને લગતી અરજીને ....................... કહે છે.
  23. રાજ્યો અને રાજ્યો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો .................... માં ઉકેલવામાં આવે છે.
  24. ..................... હકોના પાલન માટેના અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે.
  25. ..................... અદાલતે આપેલા ચુકાદા બધી અદાલતો માટે નમૂનારૂપ ગણાય છે.
  26. .................... અદાલતથી ઉપર બીજી કોઈ અદાલત હોતી નથી.
  27. ધારાસભામાં બોમ્બ ફેંકવામાં ભગતસિંહ સાથે ..................... જોડાયા હતાં.
  28. મેડમ કામાએ સૌપ્રથમ ભારતનો ................. ધ્વજ ફરકાવ્યો હતો.
  29. મદનલાલ ધીંગરાએ ............................. ને ગોળીથી વીંધીને હત્યા કરી.
  30. રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ ................... ની કવિતાઓએ પૂરું પાડ્યું.
  31. ગંગાના પાણીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને ....................... ઉથલાવી દેતો.
  32. ઈ.સ. 2011 ની વસ્તીગણતરી દરમિયાન ગીચતાનો દર ........................ નોંધાયેલ છે.
  33. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત .................... ક્રમે છે.
  34. ભારતમાં .................... ધર્મ પાળનારની સંખ્યા વધુ છે.
  35. 2011 ની વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં જાતિપ્રમાણ ....................... છે.
  36. દુનિયાની કુલ વસ્તીના આશરે ..................... ટકા વસ્તી ભારતમાં વસે છે.
  37. બધા જ રાજકીય સંગઠનોએ ........................ કમીશનનો બહિષ્કાર કર્યો.
  38. મહાત્મા ગાંધી .................... આંદોલનની વિરૂદ્ધમાં હતાં.
  39. ચંપારણના ..................... ગામમાં રહીને ગાંધીજીએ લડત ચલાવી.
  40. ગાંધીજીએ .................... ને કાળો કાયદો કહ્યો.
  41. દક્ષિણ આફ્રિકામાં ..................... ની સરખામણીમાં ભારતીયોને બહુ ઓછા હકો ભોગવવા મળતાં.
  42. ઇસ્લામ ધર્મના ધાર્મિક વડાને .................... તરીકે ઓળખવામાં આવતા હતાં.
  43. તમામ સમસ્યાઓના મૂળમાં .......................... જવાબદાર છે.
  44.  ચીજવસ્તુના ભાવવધારાને ....................... કહેવાય.
  45. આતંકવાદ એ ..................... સમસ્યા છે.
  46. ................... એટલે વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર.
  47. ................... દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે.
  48. ................... અને .................... ને પ્રાદેશિક સમસ્યા ગણી શકાય.
  49. વૈશ્વિકીકરણના પગલે ભારતના બજારમાં ................... પોતાના રમકડાં બજારમાં મૂક્યા છે.
  50. રિલાયન્સ, ટોરન્ટ, કેડીલા .................. ક્ષેત્રની કંપનીઓ છે.
  51. ભારતે ઈ.સ. ......................... થી ઉદારીકરણની નીતિ અપનાવી છે.
  52. ...................... ની નીતિને સરકારે પ્રોત્સાહન આપતાં જાહેર સાહસો નબળાં પડ્યા છે.
  53. મત્સ્ય ઉદ્યોગને .................... ક્ષેત્રનો ઉદ્યોગ કહી શકાય.
  54. વ્યક્તિ સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ ..................... ની પસંદગી કરી.
  55. દાંડીકૂચનો માર્ગ ..................... કિમી લાંબો હતો.
  56. ગાંધીજીએ સવિનય કાનૂનભંગની શરૂઆત ................. નો કાયદો તોડીને કરી.
  57. ગાંધીજીએ ................ લડત વખતે 'કરેંગે યા મરેંગે' નું સૂત્ર આપ્યું.
  58. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે .................... એ હાજરી આપી.
  59. આંતરરાષ્ટ્રીય અદાલતમાં ................................. એ સેવા આપી હતી.
  60. ઈ.સ. ............................. માં યુનોની સ્થાપના થઇ.
  61. સયુંકત રાષ્ટ્રોની સલામતી સમિતિનાં કાયમી સભ્યને નકારાત્મક મત આપવાની સત્તાને .............. કહે છે.
  62. યુનિસેફનું મુખ્ય કાર્યાલય ................. માં આવેલું છે.
  63. હાલમાં સલામતી સમિતિમાં .................. દેશો કાયમી સભ્યો છે.
  64. બંધારણની રચના ઈ.સ. ........................ માં કરવામાં આવી હતી.
  65. સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવશ્રી .................. દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી.
  66. ભારતના ભાગલાની યોજના વાઈસરોય ........................ એ રજૂ કરી.
  67. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ....................... બન્યા.
  68. ભારતનું બંધારણ ......................... ના દિવસે અમલમાં આવ્યું.
  69. મદ્રાસ રાજ્યમાંથી .................... ભાષી રાજ્ય અલગ કરવા આંધ્રપ્રદેશના લોકોએ આંદોલન કર્યું.
  70. ગુજરાત રાજ્યનો શુભારંભ ................... ના હસ્તે થયો.
  71. ભારત અને પાકિસ્તાન વચ્ચે ..................... ના પ્રશ્ને ભારે તંગદિલી છે.
  72. મુંબઈમાં આવેલી .................. દુનિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાંની એક છે.
  73. તાશ્કંદ અને સિમલા કરાર ભારત અને ................... વચ્ચે થયા.
  74. ભારત સરકારે ...................... ને મુક્ત કરવા 'ઓપરેશન વિજય' શરૂ કરવાનો નિર્ણય કર્યો.
  75. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટેભાગે ......................... નું બનેલું છે.
  76. નાઇલ નદી ......................... ના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે.
  77. કેન્યામાં ...................... જાતિના લોકો રહે છે.
  78. આફ્રિકાના જંગલોમાં ઝૈર અને કોંગો નદીના કિનારે ..................... લોકો રહે છે.
  79. માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ ...................... મીટર છે.
  80. ડૂબકી મારવા છતાં ........................ સમુદ્રમાં ડૂબી જવાતું નથી.

No comments:

Post a Comment