ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો
- ............................ સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો.
- દયાનંદ સરસ્વતિએ ............................. નામના ગ્રંથની રચના કરી.
- 'રાશ્ત ગોફતાર' નામનું સામયિક ........................ સંસ્થાએ શરું કર્યું.
- જ્યોતિબા ફૂલેએ ............................. ની સ્થાપના કરી.
- રાજા રામમોહનરાયનું અવસાન ........................ માં થયું.
- મોટા જહાજો અને સબમરીનો દરિયામાં .................... નું પ્રદૂષણ ફેલાવે છે.
- ઉપજાઉ જમીન ઓછી થતાં ................... ની તંગી ઊભી થવાની શક્યતા છે.
- મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાથી ધ્વનિનું ....................... થાય છે.
- પ્લાસ્ટિક જમીનમાં .............. નથી અને જમીન બગાડે છે.
- વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી વાતાવરણમાં ..................... વાયુ વધી રહ્યો છે.
- ભારતના લોકોને લોકશાહીની પ્રેરણા .................. સંગ્રામમાંથી મળી.
- સર એલન ઓક્ટોવિયમ હ્યુમનના પ્રયત્નોથી ડિસેમ્બર 1885 માં ...............ની સ્થાપના કરવામાં આવી.
- ઈ.સ. ............... માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી.
- ઈ.સ. ............... માં હોમરૂલ ચળવળ શરુ થઇ.
- લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ ......................... અને ...................... વર્તમાનપત્રો શરું કર્યા.
- શ્રીમતી એની બેસન્ટે તેમના સાપ્તાહિક .................... માં ગૃહ સ્વરાજ મેળવવા સંબંધી લેખો લખ્યા.
- સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસની સામે ................... નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.
- 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' સુત્ર ......................... એ આપ્યું હતું.
- મુસ્લિમ લીગની સ્થાપના ઈ.સ. ................... માં ઢાકામાં થઈ હતી.
- કોંગ્રસ અને મુસ્લિમ લીગ વચ્ચે ઈ.સ. 1916 માં ...................... મુકામે સમજૂતી કરાર થયા.
- વંદે માતરમ્ ગીતના રચયિતા ................................ હતાં.
- સમગ્ર ભારતીય પ્રજાના હિતને લગતી અરજીને ....................... કહે છે.
- રાજ્યો અને રાજ્યો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો .................... માં ઉકેલવામાં આવે છે.
- ..................... હકોના પાલન માટેના અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે.
- ..................... અદાલતે આપેલા ચુકાદા બધી અદાલતો માટે નમૂનારૂપ ગણાય છે.
- .................... અદાલતથી ઉપર બીજી કોઈ અદાલત હોતી નથી.
- ધારાસભામાં બોમ્બ ફેંકવામાં ભગતસિંહ સાથે ..................... જોડાયા હતાં.
- મેડમ કામાએ સૌપ્રથમ ભારતનો ................. ધ્વજ ફરકાવ્યો હતો.
- મદનલાલ ધીંગરાએ ............................. ને ગોળીથી વીંધીને હત્યા કરી.
- રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ ................... ની કવિતાઓએ પૂરું પાડ્યું.
- ગંગાના પાણીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને ....................... ઉથલાવી દેતો.
- ઈ.સ. 2011 ની વસ્તીગણતરી દરમિયાન ગીચતાનો દર ........................ નોંધાયેલ છે.
- વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત .................... ક્રમે છે.
- ભારતમાં .................... ધર્મ પાળનારની સંખ્યા વધુ છે.
- 2011 ની વસ્તીગણતરી મુજબ ગુજરાતમાં જાતિપ્રમાણ ....................... છે.
- દુનિયાની કુલ વસ્તીના આશરે ..................... ટકા વસ્તી ભારતમાં વસે છે.
- બધા જ રાજકીય સંગઠનોએ ........................ કમીશનનો બહિષ્કાર કર્યો.
- મહાત્મા ગાંધી .................... આંદોલનની વિરૂદ્ધમાં હતાં.
- ચંપારણના ..................... ગામમાં રહીને ગાંધીજીએ લડત ચલાવી.
- ગાંધીજીએ .................... ને કાળો કાયદો કહ્યો.
- દક્ષિણ આફ્રિકામાં ..................... ની સરખામણીમાં ભારતીયોને બહુ ઓછા હકો ભોગવવા મળતાં.
- ઇસ્લામ ધર્મના ધાર્મિક વડાને .................... તરીકે ઓળખવામાં આવતા હતાં.
- તમામ સમસ્યાઓના મૂળમાં .......................... જવાબદાર છે.
- ચીજવસ્તુના ભાવવધારાને ....................... કહેવાય.
- આતંકવાદ એ ..................... સમસ્યા છે.
- ................... એટલે વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર.
- ................... દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે.
- ................... અને .................... ને પ્રાદેશિક સમસ્યા ગણી શકાય.
- વૈશ્વિકીકરણના પગલે ભારતના બજારમાં ................... પોતાના રમકડાં બજારમાં મૂક્યા છે.
- રિલાયન્સ, ટોરન્ટ, કેડીલા .................. ક્ષેત્રની કંપનીઓ છે.
- ભારતે ઈ.સ. ......................... થી ઉદારીકરણની નીતિ અપનાવી છે.
- ...................... ની નીતિને સરકારે પ્રોત્સાહન આપતાં જાહેર સાહસો નબળાં પડ્યા છે.
- મત્સ્ય ઉદ્યોગને .................... ક્ષેત્રનો ઉદ્યોગ કહી શકાય.
- વ્યક્તિ સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ ..................... ની પસંદગી કરી.
- દાંડીકૂચનો માર્ગ ..................... કિમી લાંબો હતો.
- ગાંધીજીએ સવિનય કાનૂનભંગની શરૂઆત ................. નો કાયદો તોડીને કરી.
- ગાંધીજીએ ................ લડત વખતે 'કરેંગે યા મરેંગે' નું સૂત્ર આપ્યું.
- બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે .................... એ હાજરી આપી.
- આંતરરાષ્ટ્રીય અદાલતમાં ................................. એ સેવા આપી હતી.
- ઈ.સ. ............................. માં યુનોની સ્થાપના થઇ.
- સયુંકત રાષ્ટ્રોની સલામતી સમિતિનાં કાયમી સભ્યને નકારાત્મક મત આપવાની સત્તાને .............. કહે છે.
- યુનિસેફનું મુખ્ય કાર્યાલય ................. માં આવેલું છે.
- હાલમાં સલામતી સમિતિમાં .................. દેશો કાયમી સભ્યો છે.
- બંધારણની રચના ઈ.સ. ........................ માં કરવામાં આવી હતી.
- સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવશ્રી .................. દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી હતી.
- ભારતના ભાગલાની યોજના વાઈસરોય ........................ એ રજૂ કરી.
- સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ....................... બન્યા.
- ભારતનું બંધારણ ......................... ના દિવસે અમલમાં આવ્યું.
- મદ્રાસ રાજ્યમાંથી .................... ભાષી રાજ્ય અલગ કરવા આંધ્રપ્રદેશના લોકોએ આંદોલન કર્યું.
- ગુજરાત રાજ્યનો શુભારંભ ................... ના હસ્તે થયો.
- ભારત અને પાકિસ્તાન વચ્ચે ..................... ના પ્રશ્ને ભારે તંગદિલી છે.
- મુંબઈમાં આવેલી .................. દુનિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાંની એક છે.
- તાશ્કંદ અને સિમલા કરાર ભારત અને ................... વચ્ચે થયા.
- ભારત સરકારે ...................... ને મુક્ત કરવા 'ઓપરેશન વિજય' શરૂ કરવાનો નિર્ણય કર્યો.
- આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટેભાગે ......................... નું બનેલું છે.
- નાઇલ નદી ......................... ના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે.
- કેન્યામાં ...................... જાતિના લોકો રહે છે.
- આફ્રિકાના જંગલોમાં ઝૈર અને કોંગો નદીના કિનારે ..................... લોકો રહે છે.
- માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ ...................... મીટર છે.
- ડૂબકી મારવા છતાં ........................ સમુદ્રમાં ડૂબી જવાતું નથી.
No comments:
Post a Comment