Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, November 26, 2012

ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:
  1. રાજા રામમોહનરાયે બ્રિટીશ સરકારને કઈ કઈ ભલામણો કરી?
  2. રામકૃષ્ણમિશન દ્વારા સમાજમાં કયા કયા કર્યો કરવામાં આવે છે?
  3. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા શાથી ઊભી થઇ છે?
  4. તમને કેવું વાતાવરણ ગમે? કેમ?
  5. જળપ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.
  6. આઝાદ હિંદ ફોજને સંપૂર્ણ સફળતા મળી હોત તો શું થાત?
  7. લોકમાન્ય તિલકે 'ગણેશચતુર્થી' અને શિવાજીજયંતી' ઊજવવાનું શા માટે શરૂં કર્યું?
  8. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઇ?
  9. સુભાષચંદ્ર બોઝ જાપાન કઈ રીતે પહોચ્યા?
  10. લોકપાલ બિલ એટલે શું?
  11. ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ?
  12. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ બનવા માટેની લાયકાત જણાવો.
  13. ખુદીરામ બોઝને ફાંસી શા માટે આપવામાં આવી?
  14. આઝાદીની લડત વખતે તમે હો તો તમે દેશની આઝાદી માટે શું યોગદાન આપ્યું હોત?
  15. કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ છે? શાથી?
  16. છેલ્લા દાયકાનો વસ્તીવૃદ્ધિદર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે?
  17. સ્થળાંતર એટલે શું?
  18. સત્યાગ્રહના મહત્વના પાસાંઓ કયા કયા હતા?
  19. ભારતમાં ખિલાફત આંદોલન શા માટે થયું?
  20. નિરક્ષરતા દૂર કરવા સરકારે કેવા કેવા ઉપાયો કર્યા છે?
  21. ભાવવધારાથી આમપ્રજાને શી હાડમારી વેઠવી પડે છે?
  22. ભ્રષ્ટાચાર અને લાંચરુશ્વતથી થતી અસરો જણાવો.
  23. આતંકવાદનો સામનો આપણે કેવી રીતે કરી શકીએ?
  24. તમારા ઘરમાં આવકના પૈસાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે લખો.
  25. સયુંકત સાહસ ઉદ્યોગ એટલે શું?
  26. ખેતપેદાશો વધારવા સરકારે કયા કયા પગલાં લીધા છે?
  27. વૈશ્વિકીકરણ એટલે શું?
  28. બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ?
  29. કેબિનેટ મિશનમાં કઈ કઈ દરખાસ્તો હતી?
  30. ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી?
  31. વિશ્વમાં શાંતિની જરૂર શા માટે હોય છે?
  32. આજના વિશ્વ માટે વિકટ પ્રશ્નો કયા કયા છે?
  33. જો કોઈ ઝઘડાખોર રાષ્ટ્ર સલામતી સમિતિના આદેશનો અનાદર કરે તેવા સંજોગોમાંઆ સમિતિ શું કરે છે?
  34. સયુંકત રાષ્ટ્રોના મહામંત્રીનું પદ ખૂબ જવાબદારીવાળું છે. શા માટે?
  35. વિશ્વબેંકની કામગીરી જણાવો.
  36. યુનેસ્કોના બે કાર્યો જણાવો.
  37. ભારતની આઝાદી સમયે કઈ સમસ્યા પડકારરૂપ હતી?
  38. હિંદ સ્વાતંત્ર્યધારામાં મુખ્ય જોગવાઈઓ કઈ કઈ હતી?
  39. જવાહરલાલ નહેરુએ ગાંધીજીની હત્યાના સમાચાર આકાશવાણી પર કયા શબ્દોમાં આપ્યા?
  40. મહાગુજરાત ચળવળ શા માટે શરૂ થઇ?
  41. ગોવાની મુક્તિ માટે ભારત સરકારે લશ્કરી કાર્યવાહી શા માટે કરવી પડી?
  42. એશિયામાં સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે?
  43. એશિયા ખંડમાં આવેલી અજાયબીઓના નામ જણાવો. 

No comments:

Post a Comment