ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો:
- દયાનંદ સરસ્વતીના વિચારો દેશના લોકો સુધી શા માટે પહોંચી શક્યા?
- દિલ્હીના બાદશાહે ઈ.સ. 1830 માં રાજા રામમોહનરાયને શા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા?
- રાજા રામમોહનરાયે ભારતના લોકોને કઈ કેળવણી લેવાનો અનુરોધ કર્યો?
- 'વેદ તરફ પાછા વળો' સૂત્ર કોણે આપ્યું?
- સ્વામી વિવેકાનંદનું સંન્યાસ ધારણ કર્યા પહેલાનું નામ શું હતું?
- સ્વામી વિવેકાનંદે યુવાનોને કયું સૂત્ર આપ્યું?
- મુસ્લિમ સમાજસુધારણામાં કોણે કોણે ફાળો આપ્યો છે?
- પારસી સમાજસુધારકોના નામ જણાવો.
- પૂનામાં કન્યાશાળા ક્યારે અને કોણે શરૂં કરી?
- પંચમહાલમાં ભીલોને દારૂની બદીથી કોણે મુક્ત કરાવ્યા?
- પ્રદૂષણ એટલે શું?
- હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે?
- ધ્વનીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે?
- ગાંધીજીએ સામુદાયિક સ્ત્રોત કોણે કહ્યા છે?
- ઘોંઘાટથી મનુષ્ય પર શી અસર થાય છે?
- રાષ્ટ્રવાદ એટલે શું?
- જહાલવાદ એટલે શું? તેનાં નેતાઓના નામ જણાવો.
- બંગભંગનો દિવસ કઈ રીતે ઊજવવામાં આવ્યો?
- હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી?
- હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી?
- સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો?
- સુભાષચંદ્ર બોઝે ક્યા ક્યા સુત્રો આપેલા?
- કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી?
- લખનૌ કરાર કોની કોની વચ્ચે થયા?
- મવાળવાદી નેતાઓના નામ જણાવો.
- ન્યાયતંત્રની જરૂર શા માટે છે?
- અંગ્રેજોના સમયમાં સર્વોચ્ચ અદાલત ક્યા નામે ઓળખાતી?
- લોકપાલ બીલની જરૂર શા માટે જણાય છે?
- ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
- સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણુંક કોણ કરે છે?
- સર્વોચ્ચ અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?
- જાહેરહિતની અરજી અયોગ્ય જણાય તો અદાલત શું કરી શકે?
- સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને તેમના પદ પરથી ક્યારે દૂર કરી શકાય?
- રાજ્યમાં બધી અદાલતોમાં કઈ અદાલત સર્વોપરી છે?
- વીર સાવરકરે ક્યુ પુસ્તક લખ્યું હતું?
- ધારાસભામાં બોમ્બ કોણે ફેંક્યો હતો?
- આર્યસમાજના મંદિર ઉપર થયેલ હુમલો કોણે અટકાવ્યો હતો?
- બાળક ચંદ્રશેખરે પોતાનું નામ શું બતાવ્યું?
- વાસુદેવ બળવંત ફડકેએ કઈ પ્રતિજ્ઞા લીધી હતી?
- ખુદીરામ બોઝને ક્યા ગુના માટે ફાંસીની સજા આપવામાં આવી?
- ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી?
- ભગતસિંહ અને સાથીઓએ ક્યું ધ્યેય સ્વીકાર્યું હતું?
- શ્યામજી કૃષ્ણવર્માની ક્રાંતિકારી પ્રવૃતિઓમાં કોનો કોનો સાથ હતો?
- હાલમાં ભારતમાં ક્યા નેતાએ ક્રાંતિકારી વિચારોનો ફેલાવો કર્યો છે?
- માનવીનું આરોગ્ય એટલે શું?
- દેશની વસ્તીમાં કેટલાં પ્રકારના પરિવર્તન જોવા મળે છે? ક્યા ક્યા?
- સત્તાવાર ભાષાનો દરજ્જો કે ભાષાઓને આપવામાં આવેલો છે?
- સાક્ષર વ્યક્તિ કોને કહી શકાય?
- ઈ.સ. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ સાક્ષરતાનો દર કેટલો છે? સ્ત્રી-પુરુષની સાક્ષરતાનો દર જણાવો.
- વસ્તીગીચતા ક્યાં ઓછી જોવા મળે છે?
- વસ્તીવધારાને કારણે કઈ સમસ્યાઓ પેદા થાય છે?
- માનવશક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે?
- વસ્તીવૃદ્ધિદર નીચો જવાનું મુખ્ય કારણ કયું છે?
- સૌથી ઓછી વસ્તી ધરાવતા પાંચ પ્રદેશોના નામ જણાવો.
- મહાત્મા ગાંધીએ કોના માટે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો હતો?
- ક્યા બનાવને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું?
- બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોની આગેવાની કોણે લીધી હતી?
- ગાંધીજીએ ક્યા કાયદાને કાળો કાયદો કહ્યો?
- કઈ ઘટનાએ ભારતના લોકોને સ્તબ્ધ કરી દીધા?
- ભારતમાં જોવા મળતી આંતરિક સમસ્યાઓના નામ જણાવો.
- આતંકવાદને કેવી સમસ્યા ગણી શકાય?
- વસ્તીવિસ્ફોટથી કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે?
- ભ્રષ્ટાચારની વ્યાખ્યા લખો.
- ઝુંપડપટ્ટીમાં કેવી સમસ્યા ઊભી થાય છે?
- આતંકવાદની અસરો જણાવો.
- નિરક્ષરતા દૂર કરવા કયો કાયદો ઘડ્યો છે?
- દૂધ કોણે પીવું જોઈએ?
- ખેડૂત હેલ્પલાઈન નંબર કયો છે?
- પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલ બે પ્રવૃત્તિ જણાવો.
- દ્વિતીય ક્ષેત્રની પ્રવૃતિના બે ઉદાહરણો આપો.
- સેવા ક્ષેત્રની પ્રવૃતિઓના નામ જણાવો.
- ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી?
- દાંડી ક્યાં આવેલું છે?
- બ્રિટીશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે બોલાવી?
- ઈ.સ. 1942 માં ગાંધીજીએ ભારતીય જનતાને શો આદેશ આપ્યો?
- 'હિન્દ છોડો' ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો?
- હિન્દને સંપૂર્ણ સ્વરાજ્ય આપવાની જાહેરાત કોણે કરી?
- 'સીધા પગલાં દિન' કોણે ઉજવ્યો?
- પ્રથમ વિશ્વયુદ્ધ કયા ગાળામાં લડાયું હતું?
- માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે?
- યુનો દિન ક્યારે ઊજવાય છે?
- માનવઅધિકાર એટલે શું?
- યુનોનું સૌથી મહત્વનું અંગ કયુ છે?
- કઈ સંસ્થા વિશ્વના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે કટિબદ્ધ છે?
- વિશ્વ આરોગ્ય સંસ્થાનો હેતુ શો છે?
- સયુંકત રાષ્ટ્રોના મુખ્ય અંગો ક્યા ક્યા છે?
- નિ:શસ્ત્રીકરણ શા માટે જરૂરી છે?
- હાલમાં સયુંકત રાષ્ટ્રોના મહામંત્રી કોણ છે?
- મુસ્લિમ લીગની લાહોર મુકામે યોજાયેલ અધિવેશનમાં શાની માંગણી કરતો ઠરાવ થયો?
- દેશી રજવાડાંઓને ભારત સાથે જોડવાની જવાબદારી કોણે સોંપવામાં આવી?
- ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો?
- ઈ.સ. 1947 માં વાઈસરોય તરીકે ભારતમાં કોણ આવ્યું?
- રાજા હરિસિંહ કોણ હતા?
- ફ્રેન્ચ શાસન હેઠળ ભારતના ક્યા ક્યા વિસ્તાર હતાં?
- શ્રીનગર કઈ કઈ બાબતો માટે જાણીતું છે?
- મહાગુજરાતના આંદોલનના પ્રણેતા કોણ હતાં?
- પોર્ટુગલના લોકોના કબજામાં ભારતના ક્યા ક્યા વિસ્તાર હતાં?
- ભારતની હાલની મુખ્ય ત્રણ સમસ્યાઓ જણાવો.
- એશિયામાં આવેલા રણપ્રદેશોના નામ જણાવો.
- ભારતના પડોશી દેશોના નામ જણાવો.
- આફ્રિકા ખંડમાંથી મળતી ખનિજોનાં નામ જણાવો.
- યુફ્રેટિસ અને તૈગ્રિસનું મેદાન ક્યા દેશમાં આવેલું છે?
- કઈ નહેરે એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધાં છે?
- ઠંડા પ્રદેશની કામધેનુ તરીકે કોને ઓળખવામાં આવે છે?
- શંકુદ્રુમ જંગલોમાં ક્યા આકારના વૃક્ષો થાય છે? બે વૃક્ષોના નામ જણાવો.
No comments:
Post a Comment