Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, November 26, 2012

 ધોરણ - ૮ ના સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજા સત્રની અગત્યની પ્રશ્નાવલી:---
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ આપો:
  1. દયાનંદ સરસ્વતીના વિચારો દેશના લોકો સુધી શા માટે પહોંચી શક્યા? 
  2. દિલ્હીના બાદશાહે ઈ.સ. 1830 માં રાજા રામમોહનરાયને શા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા?
  3.  રાજા રામમોહનરાયે ભારતના લોકોને કઈ કેળવણી લેવાનો અનુરોધ કર્યો?
  4. 'વેદ તરફ પાછા વળો' સૂત્ર કોણે આપ્યું?
  5. સ્વામી વિવેકાનંદનું સંન્યાસ ધારણ કર્યા પહેલાનું નામ શું હતું?
  6. સ્વામી વિવેકાનંદે યુવાનોને કયું સૂત્ર આપ્યું?
  7. મુસ્લિમ સમાજસુધારણામાં કોણે કોણે ફાળો આપ્યો છે?
  8. પારસી સમાજસુધારકોના નામ જણાવો.
  9. પૂનામાં કન્યાશાળા ક્યારે અને કોણે શરૂં કરી?
  10. પંચમહાલમાં ભીલોને દારૂની બદીથી કોણે મુક્ત કરાવ્યા?
  11. પ્રદૂષણ એટલે શું?
  12. હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે?
  13. ધ્વનીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે?
  14. ગાંધીજીએ સામુદાયિક સ્ત્રોત કોણે કહ્યા છે?
  15. ઘોંઘાટથી મનુષ્ય પર શી અસર થાય છે?
  16. રાષ્ટ્રવાદ એટલે શું?
  17. જહાલવાદ એટલે શું? તેનાં નેતાઓના નામ જણાવો.
  18. બંગભંગનો દિવસ કઈ રીતે ઊજવવામાં આવ્યો?
  19. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી?
  20. હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી?
  21. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો?
  22. સુભાષચંદ્ર બોઝે ક્યા ક્યા સુત્રો આપેલા?
  23. કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી?
  24. લખનૌ કરાર કોની કોની વચ્ચે થયા?
  25. મવાળવાદી નેતાઓના નામ જણાવો.
  26. ન્યાયતંત્રની જરૂર શા માટે છે?
  27. અંગ્રેજોના સમયમાં સર્વોચ્ચ અદાલત ક્યા નામે ઓળખાતી?
  28. લોકપાલ બીલની જરૂર શા માટે જણાય છે?
  29. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે?
  30. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણુંક કોણ કરે છે?
  31. સર્વોચ્ચ અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?
  32. જાહેરહિતની અરજી અયોગ્ય જણાય તો અદાલત શું કરી શકે?
  33. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને તેમના પદ પરથી ક્યારે દૂર કરી શકાય?
  34. રાજ્યમાં બધી અદાલતોમાં કઈ અદાલત સર્વોપરી છે?
  35. વીર સાવરકરે ક્યુ પુસ્તક લખ્યું હતું?
  36. ધારાસભામાં બોમ્બ કોણે ફેંક્યો હતો?
  37. આર્યસમાજના મંદિર ઉપર થયેલ હુમલો કોણે અટકાવ્યો હતો?
  38. બાળક ચંદ્રશેખરે પોતાનું નામ શું બતાવ્યું?
  39. વાસુદેવ બળવંત ફડકેએ કઈ પ્રતિજ્ઞા લીધી હતી?
  40. ખુદીરામ બોઝને ક્યા ગુના માટે ફાંસીની સજા આપવામાં આવી?
  41. ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી?
  42. ભગતસિંહ અને સાથીઓએ ક્યું ધ્યેય સ્વીકાર્યું હતું?
  43. શ્યામજી કૃષ્ણવર્માની ક્રાંતિકારી પ્રવૃતિઓમાં કોનો કોનો સાથ હતો?
  44. હાલમાં ભારતમાં ક્યા નેતાએ ક્રાંતિકારી વિચારોનો ફેલાવો કર્યો છે?
  45. માનવીનું આરોગ્ય એટલે શું?
  46. દેશની વસ્તીમાં કેટલાં પ્રકારના પરિવર્તન જોવા મળે છે? ક્યા ક્યા?
  47. સત્તાવાર ભાષાનો દરજ્જો કે ભાષાઓને આપવામાં આવેલો છે?
  48. સાક્ષર વ્યક્તિ કોને કહી શકાય?
  49. ઈ.સ. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ સાક્ષરતાનો દર કેટલો છે? સ્ત્રી-પુરુષની સાક્ષરતાનો દર જણાવો.
  50. વસ્તીગીચતા ક્યાં ઓછી જોવા મળે છે?
  51. વસ્તીવધારાને કારણે કઈ સમસ્યાઓ પેદા થાય છે?
  52. માનવશક્તિનું મૂલ્ય શાના પર રહેલું છે?
  53. વસ્તીવૃદ્ધિદર નીચો જવાનું મુખ્ય કારણ કયું છે?
  54. સૌથી ઓછી વસ્તી ધરાવતા પાંચ પ્રદેશોના નામ જણાવો.
  55. મહાત્મા ગાંધીએ કોના માટે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો હતો?
  56. ક્યા બનાવને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું?
  57. બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોની આગેવાની કોણે લીધી હતી?
  58. ગાંધીજીએ ક્યા કાયદાને કાળો કાયદો કહ્યો?
  59. કઈ ઘટનાએ ભારતના લોકોને સ્તબ્ધ કરી દીધા?
  60. ભારતમાં જોવા મળતી આંતરિક સમસ્યાઓના નામ જણાવો.
  61. આતંકવાદને કેવી સમસ્યા ગણી શકાય?
  62. વસ્તીવિસ્ફોટથી કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે?
  63. ભ્રષ્ટાચારની વ્યાખ્યા લખો.
  64. ઝુંપડપટ્ટીમાં કેવી સમસ્યા ઊભી થાય છે?
  65. આતંકવાદની અસરો જણાવો.
  66. નિરક્ષરતા દૂર કરવા કયો કાયદો ઘડ્યો છે?
  67. દૂધ કોણે પીવું જોઈએ?
  68. ખેડૂત હેલ્પલાઈન નંબર કયો છે?
  69. પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલ બે પ્રવૃત્તિ જણાવો.
  70. દ્વિતીય ક્ષેત્રની પ્રવૃતિના બે ઉદાહરણો આપો.
  71. સેવા ક્ષેત્રની પ્રવૃતિઓના નામ જણાવો.
  72. ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી?
  73. દાંડી ક્યાં આવેલું છે?
  74. બ્રિટીશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે બોલાવી?
  75. ઈ.સ. 1942 માં ગાંધીજીએ ભારતીય જનતાને શો આદેશ આપ્યો?
  76. 'હિન્દ છોડો' ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો?
  77. હિન્દને સંપૂર્ણ સ્વરાજ્ય આપવાની જાહેરાત કોણે કરી?
  78. 'સીધા પગલાં દિન' કોણે ઉજવ્યો?
  79. પ્રથમ વિશ્વયુદ્ધ કયા ગાળામાં લડાયું હતું?
  80. માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે?
  81. યુનો દિન ક્યારે ઊજવાય છે?
  82. માનવઅધિકાર એટલે શું?
  83. યુનોનું સૌથી મહત્વનું અંગ કયુ છે?
  84. કઈ સંસ્થા વિશ્વના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે કટિબદ્ધ છે?
  85. વિશ્વ આરોગ્ય સંસ્થાનો હેતુ શો છે?
  86. સયુંકત રાષ્ટ્રોના મુખ્ય અંગો ક્યા ક્યા છે?
  87. નિ:શસ્ત્રીકરણ શા માટે જરૂરી છે?
  88. હાલમાં સયુંકત રાષ્ટ્રોના મહામંત્રી કોણ છે?
  89. મુસ્લિમ લીગની લાહોર મુકામે યોજાયેલ અધિવેશનમાં શાની માંગણી કરતો ઠરાવ થયો?
  90. દેશી રજવાડાંઓને ભારત સાથે જોડવાની જવાબદારી કોણે સોંપવામાં આવી?
  91. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો?
  92. ઈ.સ. 1947 માં વાઈસરોય તરીકે ભારતમાં કોણ આવ્યું?
  93. રાજા હરિસિંહ કોણ હતા?
  94. ફ્રેન્ચ શાસન હેઠળ ભારતના ક્યા ક્યા વિસ્તાર હતાં?
  95. શ્રીનગર કઈ કઈ બાબતો માટે જાણીતું છે?
  96. મહાગુજરાતના આંદોલનના પ્રણેતા કોણ હતાં?
  97. પોર્ટુગલના લોકોના કબજામાં ભારતના ક્યા ક્યા વિસ્તાર હતાં?
  98. ભારતની હાલની મુખ્ય ત્રણ સમસ્યાઓ જણાવો.
  99.  એશિયામાં આવેલા રણપ્રદેશોના નામ જણાવો.
  100. ભારતના પડોશી દેશોના નામ જણાવો.
  101. આફ્રિકા ખંડમાંથી મળતી ખનિજોનાં નામ જણાવો.
  102. યુફ્રેટિસ અને તૈગ્રિસનું મેદાન ક્યા દેશમાં આવેલું છે?
  103. કઈ નહેરે એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધાં છે?
  104. ઠંડા પ્રદેશની કામધેનુ તરીકે કોને ઓળખવામાં આવે છે?
  105. શંકુદ્રુમ જંગલોમાં ક્યા આકારના વૃક્ષો થાય છે? બે વૃક્ષોના નામ જણાવો.

No comments:

Post a Comment