એક દિવસ કળશ ઉપર મૂકેલી
વાડકીએ કળશને કહ્યું કે હે કળશ ! આવો પક્ષપાત કેમ? તારી પાસે જે વાસણ આવે તેને તું
પાણીથી ભરી દે છે, પરંતુ હું હંમેશા તારી સાથે રહું છું, છતાં મારી ઉપર કૃપા કરતો નથી.
કળશે જવાબ આપ્યો કે
બહેન, જે મારી પાસે મેળવવા આવે છે તેને હું સંતુષ્ટ કરીને મોકલું છું, પરંતુ તું તો
અભિમાનપૂર્વક મારા માથે ચડીને બેઠી છે, પછી હું તને કઈ રીતે મદદ કરી શકું? તું અભિમાન
છોડીને તારી પાત્રતા સાબિત કરી દે. પછી હું તને તરત જ ભરી દઈશ. વાડકીને કળશની વાત સમજાઈ
ગઈ કે જો પાત્રતા હોય તો જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
No comments:
Post a Comment