Blogger Widgets અરમાન: “”ક ની કરામત “”

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, April 7, 2014

“”ક ની કરામત “”

કોઈ કાળે કેટ્લાક કલાપી કલા કરતા કુદાકુદ કરે કુદાકુદ કરી કેકારવ કરતા કોઇ કલાપી ના કપાયેલાં કલગી કલાપ કાગડે કયાંકથી કબ્જે કર્યા.
કપાયેલા કલગી કલાપથી કાયાને કલાત્મક કરી કાગડ કાવ્યસભામા કુચ કરી .
કાવ્યસભામા કોયલના કર્ણમધુર કુંજનની કાબર , કબુતર ,કુંજડે કદર કરી.
કલાપી એ કળા કરી કલાન્રુત્ય કર્યુ.કલાપીની કલાથી કોયલે કલ્લોલથી કલશોર કર્યો.
કલાપીની કેળા કેરીથી કદર કરી. 
કેવળ કુદાકુદ કરતા કલાપીની કદરથી કાફર કાગડો કોચવાયો. 
કાગડે કાવ્યસભાને કાર્યની કદર કરવા કહ્યુ. 
કોયલ કહે કેવળ કુદાકુદ કરતા કલાપીની કળા કાગ્ડો ક્યાંથી કાઢે? 
કુક્ડો કહે કર્કશ કાં કાં કર્ણમધુર ક્યાથી ? 
કાવ્ય્સભાના કટાક્ષોથી ક્રોધિત કાગડૅ કકળાટ કર્યો. 
કંટાળીને કુસ્તીમા કુશળ કુકડે કાફર કાગડાને કુશ્તીમાં કાયર કર્યો.
કુંજડે કાગડાને કંઠે કાપો કર્યો. 
કાપાને કારણે કાફર કાગડાએ ક્રંદન કર્યુ, કંટાળીને કાફર કાગડે કાવ્યસભામાથી કુચ કરી.

No comments:

Post a Comment