Blogger Widgets અરમાન: ભારતનું સાંસ્કૃતિક પતન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, April 7, 2014

ભારતનું સાંસ્કૃતિક પતન

   ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલા ભારતમાં અંગ્રેજી ભાષા, પશ્વિમી કેલૅન્ડર અને પશ્વિમી સંસ્કારોનું નામો નિશાન નહોતું. ભારતમાં તરક્કી એવી હતી કે સોનાની છોળો ઊડતી. સૂવર્ણના મંદિરો હતા. વિશ્વભરમાં ભારતનો એવો ડંકો હતો કે પહેલા મુસ્લીમો અને પછી અંગ્રેજો આપણા દેશને લૂંટવા માટે ખેંચાઇને આવ્યા. મુસ્લીમોએ એવો આતંક મચાવ્યો કે મુસ્લીમ ધર્મ અથવા મોત બેમાંથી એક સ્વીકારવાની ફરજ પડાઇ. મુસ્લીમ નહી બનનારા લાખો લોકોની કતલ કરવામાં આવી. મુસ્લીમ બાદશાહોએ રાજપૂત રાજાઓનું નિકંદન કાઢી નાખ્યું અને પોતાનું સાશન જમાવ્યું. સૂવર્ણ મંદિરો લૂટી લીધા. શીવાજી મહારાજ જેવા શૂરવીરોએ ભારે લડત આપી. જ્યારે જ્યારે જરૂર ઊભી થઈ ત્યારે આપણા દેશમાં આવા શુરવીરો પાક્યા છે અને માભૌમ માટે પ્રેમથી પોતાની જાત હોમી દીધી છે. સૌથી છેલ્લો રાજા પૃથ્વીરાજ ચૌહાણ પણ હણાયો. ત્યારે પણ લોકો આપણી સંસ્કૃતિ વિસરી ગયેલા. ત્યારે અનેક મહાપુરુષો અવતર્યા જેમણે લોકોને આપણી સંસ્કૃતિ વિશે જાગૃત કર્યા.
   મુસ્લીમો પછી ખ્રિસ્તિઓ (અંગ્રેજો) આપણા દેશને લૂટવા માટે આવ્યા. આજકાલા શાળાઓમાં દેશનો ઇતિહાસ આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યાંથી જ શરુ થાય છે. એટલે આ વિશે તો લોકો થોડું જાણતા હશે. ૨૦૦ વર્ષ સુધી આ લોકોએ આપણા દેશના લોકો ઉપર ખુબ જ ત્રાસ ગુજાર્યો છે. આ બધુ આપણે જલ્દી ભૂલી ગયા તે આશ્વર્ય છે ! આમાંથી દેશને છોડાવવા માટે લાખો લોકોએ બલીદાન આપ્યું છે તે નક્કર હકીકત છે. અંગ્રેજોએ હિંદુ-મુસ્લીમો વચ્ચે કલેશ કરાવીને અનેક નિર્દોષ લોકોને હણાવ્યાં. હું માનું છું કે, આપણને આઝાદી મળી નથી પણ સોનાની મુરઘી ઇંડા આપી શકે તેમ ન હોવાથી અંતે રહ્યો સહ્યો તમામ રસકસ ચૂસીને તેઓ ગયા. ગયા તોય ભારતમાતાની કેડ ભાંગીને અખંડ ભારતનું બે દેશોમાં વિભાજન કરી નાખ્યું.
    સ્થૂળ આક્રમણ બાદ હવે આપણી સંસ્કૃતિને તોડી પાડવા માટે સાંસ્કૃતિક આક્રમણ થઇ રહ્યું છે. ખ્રીસ્તી લોકોનો મતલબ એવો છે કે વિશ્વમાં માત્ર એક જ ખ્રિસ્તિ ધર્મ જ હોય, બધા ખ્રિસ્તિ બની જાય. મુસ્લીમોએ તલવારની ધારે આપણા લોકોને મુસ્લીમ બનાવ્યા જ્યારે આ ખ્રિસ્તિઓએ ભારે ચાલાકી વાપરી છે. ધીમુ ઝેર આપીને આપણને આપણી સંસ્કૃતિ, તેના નૈતિક મૂલ્યો અને આદર્શોથી વિમુખ બનાવીને તે લોકો તરફ ઢાળવાનું શરુ કર્યું. આ નક્કર હકીકત છે. આ સાંસ્કૃતિક હુમલાના પ્રથમ ચરણમાં એ લોકોએ જોયુ કે જ્યાં અંગ્રેજી ભાષા બોલાતી હશે ત્યાં લોકો તેઓની વાત માને છે, તેઓ તરફ ઢળે છે. આપણા લોકોને પૂર્વમાંથી પશ્વિમની સંસ્કૃતિ તરફ ઢાળવા માટે આપણા લોકો તેની ભાષા અપનાવે, તે ભાષાને વધુ મહત્વ આપે તે ખુબ જરૂરી છે.
   કોઇ કહે કે આંતરરાષ્ટ્રિય વેપાર માટે પણ અંગ્રેજી ભાષા જરૂરી છે. તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી છે. જુના દસ્તાવેજો ચકાસીએ તો ત્યારે પણ આપણા દેશમાંથી અનેક ચીજોની વિદેશોમાં નિકાસ થતી જ હતી. આપણા લોકો વિશ્વની સૌથી પ્રાચીન આપણી સંસ્કૃત ભાષાને સાવ ભૂલી જ ગયા, તેમાંથી જન્મેલી આપણી માતૃભાષાઓનું મહત્વ પણ આપણને નથી. આ કરતા અંગ્રેજી ભાષા શ્રેષ્ઠ છે તેવી માનસીકતા આપણા લોકોની થવા લાગી. પછી તો લોકો સંસ્કૃતને વિસરી ગયા એટલે આપણું જુનું અસલી સાહિત્ય છે તેનાથી પણ દુર થઈ ગયા અને આપણી અસલીયત આપણે ભૂલતા ગયા. તે આપણે ત્યાં સુધી ભૂલી ગયા છીએ કે કૃષ્ણને બદલે ક્રીસ્ના, યોગના બદલે યોગા અને ગણેશના બદલે ગણેશા બોલવા લાગ્યાં. આ લોકોએ બીજુ પણ એક કામ કર્યું કે, હરિજન લોકોને ભડકાવીને તેઓને ખ્રિસ્તિ બનાવવા માંડ્યાં. હજારોની સંખ્યામાં હિંદુઓ ખ્રિસ્તિ બન્યા, આ વટાળ પ્રવૃત્તિ હજુ પણ ચાલી જ રહી છે આપણા દેશમાં. જો કે આ સમયે પણ આપણા દેશમાં મહાપુરુષો થયા જેમણે આપણી સંસ્કૃતિ વિશે આપણા લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે, એટલે જ આપણી સંસ્કૃતિ આજેય ટકી રહી છે.
   આપણા લોકોનું પતન થતું જ ગયું. સંસ્કૃત ભાષા ભૂલ્યા એટલે આપણું ભુલતા ગયા-તે અંગે સાવ અજાણ બની ગયા-અને અંગ્રેજી શીખ્યા એટલે પશ્વિમી સંસ્કૃતિ વિશે જાણતા થયા અને તેને અપનાવવા લાગ્યાં. પશ્વિમનું જ બધુ સાચુ અને આપણા કરતા શ્રેષ્ઠ લાગવા માંડ્યું. આજે સમય એવો છે કે બાળકને માતૃભાષામાં ભણાવવાની પણ તસ્દી લીધા વગર સીધો જ વિદેશી ભાષાના માધ્યમમાં ભણાવવામાં આવે છે. બે ગુજરાતીઓ સામે મળે તોય અંગ્રેજીમાં બોલવું તેને ગૌરવ અનુભવે છે. સંસ્કૃત તો માત્ર શ્લોક બોલવા પૂરતી જ સિમિત બની ગઈ છે. આપણું પંચાંગ ભૂલાઇ ગયું અને તેની જગ્યાએ વિદેશી કેલેન્ડરને અપનાવી લીધું. આપણા દેશમાં સરકારી વ્યવહારો, ન્યાતંત્ર આજે એ લોકોની ભાષામાં ચાલે છે જેઓએ આપણા દેશનું ૨૦૦ વર્ષ સુધી લોહી ચૂસ્યું. આપણા દેશનું નામ ભારતમાંથી ઇન્ડીયા થઇ ગયું.
   આપણા એકાદશી જેવા વ્રતો ગયા અને વેલેન્ટાઇન ડે ઉજવાવા લાગ્યા. સંસ્કારોનું દેવાળું ફૂંકાઇ ગયું. જે બુધ્ધિજીવીઓ હતા, તેઓ પણ વિદેશ ઉપડી ગયા. આપણા જે ધર્મસ્થાનો છે ત્યાં પણ સંસ્કૃત ભાષા ગઇ અને અંગ્રેજી ભાષા અને વિદેશની કેલેન્ડરનો ઉપયોગ થવા લાગ્યો, તેનાથી વધારે પડતી બીજી શી હોઇ શકે ? લોકો તો ઠીક આપણી સંસ્કૃતિના આધાર સ્તંભો પણ અસલીયત ગુમાવી બેઠા. આ છે આપણા પતનની હકીકત.
   આજે કોને આપણી સંસ્કૃતિની પડી છે ? આપણું ગૌરવ આપણે ભૂલી ગયા છીએ. જો આમ જ ચાલશે તો આપણી સંસ્કૃતિનું નામોનિશાન રહેશે નહિ. આજની નવી પેઢીમાં એવા લક્ષણો જોઇ શકાય છે.

No comments:

Post a Comment