[૧] દુનિયાના ૯૦ % લોકો રોજ સવારે તૈયાર થઈને હાથમાં ટીફીન કે બેગ લઈને એવા સ્થળે જવા નીકળે છે જ્યાં જવું તેમને ગમતું હોતું નથી.
[૨] માણસે કરેલી મહેનતનો પરસેવો તેના શરીર પરથી સૂકાય ત્યાર પહેલાં તેની મહેનતનું વળતર તેને મળી જવું જોઈએ.
[૨] માણસે કરેલી મહેનતનો પરસેવો તેના શરીર પરથી સૂકાય ત્યાર પહેલાં તેની મહેનતનું વળતર તેને મળી જવું જોઈએ.
[૩] કોઈ ઘટના
તમને દુ:ખી કરી શકતી નથી, પણ તે ઘટનાનું અર્થઘટન તમને દુ:ખ પહોચાડે છે. તેથી એ સાચું છે કે, તમારી પસંદગી વગર તમને કોઈ દુ:ખી કરી
શકતું નથી.
[4] જે માણસ પાસે
પોતાના કોઈ લક્ષ્ય
નથી હોતા તેનો સમય
અને શક્તિ બીજો
માણસ પોતાની સફળતા
માટે વાપરે છે. તો પછી તમારો સમય અને
તમારી શક્તિને તમારી સફળતા માટે શા માટે ન વાપરવા?
[5] જો તમે કોઈ એકાદ કામ
પૂર્ણ કરવાનું આયોજન નહિ કરી શકો, તો તમારાથી
કોઈ પણ કામ પૂરું
નહિ થાય.
[6] માનવીનું સર્વોચ્ચ
લક્ષ્ય પોતાની
કુદરતી આંતરિક ક્ષમતા પ્રમાણે અને વાસ્તવિકતાઓની મર્યાદામાં રહીને પોતાની જાતને
સર્જનાત્મક, અજોડ વ્યક્તિ સાબિત કરવાનું હોવું જોઈએ.
[7] તમે જે બનવાની ઈચ્છા
રાખતા હતાં તે તમે નથી, પણ તમે જે નિયમિત
રીતે કરો છો તે તમે બન્યા છો.
[8] બીજા કોઈના જેવા બનવાને બદલે પોતાના જેવું બનવું. અને એ પણ એવી
દુનિયામાં કે જે રાત દિવસ તમને બીજા કોઇપણ બનાવવા માટે તનતોડ મહેનત કરે છે, તે કોઇપણ વ્યક્તિ માટે મહાસંગ્રામ છે.
જે સતત ચાલ્યા જ
કરે છે.
[9] આયોજન
કરવામાં નિષ્ફળ
જવું એટલે નિષ્ફળતાનું
આયોજન કરવું.
[10] કામ મુશ્કેલ છે માટે જ કરવું છે, સહેલું કામ તો બધા જ
કરે છે.
[11] આજ
આવતીકાલે ગઈ કાલ બની જશે. કાર્યની શરૂઆત
અત્યારે જ કરો.
[12] નિષ્ફળ
મનુષ્યોને જે કરવું
નથી ગમતું હોતું તે કરવાની સફળ
મનુષ્યોએ આદત કેળવી હોય છે.
[13] ઝાઝા કામ
ઓછી સારી રીતે કરવાં તેના કરતાં ઓછા કામ વધુ સારી રીતે કરવાં એ શીખવું અગત્યનું છે.
[14] દરેક મનુષ્ય પોતાના વખાણ સાંભળવા માટે વલખાં મારતો હોય છે.
[15] નિષ્ફળતાઓને ઘેર લાવવા કરતાં શાકભાજી ખરીદીને ઘેર લાવવાનું
વધુ સહેલું છે, કારણ કે જો શાકભાજી બગડી ગઈ હશે
તો ત્રીજે દિવસે પણ તેને ઘરની બહાર
ફેંકી શકાશે. પરંતુ નિષ્ફળતાને જલ્દીથી ફેંકી શકાતી નથી.
[16] જિંદગીમાં એવું કશું નથી જેનાથી ડર લાગે. ફક્ત તેને સમજવું પડે.
[17] માણસનું મન જે કાંઈ મેળવવાની ધારણા કરે છે અને જેમાં તે વિશ્વાસપૂર્વક માને છે
તે વસ્તુ કે સ્થાન તે પ્રાપ્ત કરે છે.
[18] લોકો કોઈ
ઘટનાથી પરેશાન થતાં નથી પરંતુ તે ઘટનાનું તેઓ જે રીતે અર્થઘટન કરે છે તેનાથી પરેશાન
થાય છે.
[19] નસીબ એ અચાનક બનતી ઘટના નથી. પણ પસંદગી મુજબ
મેળવવાની ચીજ છે.
No comments:
Post a Comment