Blogger Widgets અરમાન: સુવાક્યો

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Saturday, February 9, 2013

સુવાક્યો


                                           સુવાક્યો

[૧] આપણે જેટલો વધુ અભ્યાસ કરીશું, તેટલો જ આપણને આપણા અજ્ઞાનનો અહેસાસ થશે.
[૨] જેના અંતરમાં શાંતિ હોય તેણે બાહ્ય વેદના કદી પણ પીડા આપી શકતી નથી.
[૩] ઉઘાડા દુશ્મન સારા કે કંઈ જોખમ નથી હોતું, જે અંગત હોય છે તે પીઠ પાછળ ઘા કરી લે છે.
[૪] ખુશી અને કાર્ય વચ્ચે જોડાણ છે. જ્યાં સુધી એવી અનુભૂતિ ન થાય કે તમે કોઈ ઉપયોગી કાર્ય કરો છો, ત્યાં સુધી પ્રસન્નતા મળી નથી.  જવાહરલાલ નહેરુ
[૫] પોતાના મિત્રોને ચૂપકીદીથી સલાહ આપો, પરંતુ તેની પ્રશંસા ખુલ્લેઆમ કરો.
[૬] સફળતા એને મળે છે જે સાહસ સાથે કાર્ય કરે છે, પરંતુ જે પરિણામોનો વિચાર કરીને ભયભીત રહે છે તેમને ઓછી સફળતા મળે છે.  જવાહરલાલ નહેરુ
[૭] જે સમયને વિતાવવામાં તમને આનંદ આવતો હોય એ સમય વેડફાઈ ગયો ન કહેવાય.  બટ્રાઁન્ડ રસેલ ‍
[૮] જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી.
[૯] બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઊભી કરે છે.  -  ફ્રાંસીસ બેકન
[૧૦] આશા નાસ્તાના રૂપમાં સારી છે, ભોજનના રૂપમાં ખરાબ છે. બેકન

No comments:

Post a Comment