Blogger Widgets અરમાન: આરોગ્ય – એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે ?

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, February 21, 2013

આરોગ્ય – એક્યુપ્રેશર વડે સારવાર કેવી રીતે ?

                     આપણા શરીર પર કેટલાક બિંદુઓ હોય છે જે બાયોઇલેક્ટ્રીકલ આવેગો પર પ્રતિક્રિયા આપે છે અને ઊર્જાનું વહન પણ કરે છે. જ્યારે આ બિંદુઓ પર દબાણ સર્જવામાં આવે છે ત્યારે એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે જે પીડાને ઓછી કરવાનું અને લોહી અને ઓક્સિજનના પ્રવાહને વધારવામાં મદદરૂપ બને છે. તે શરીરની બીમારી માટે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને સ્નાયુઓને આરામ આપી તેમને તાજામાજા બનાવી દે છે. એટલું જ નહીં આનાથી તણાવ અને ચિંતામાં રાહત મળવામાં મદદ મળે છે અને શરીરને સંતુલન મળવાની પરવાનગી મળે છે.
---- એક્યુપ્રેશરમાં એવું માનવામાં આવે છે કે આપણા શરીરમાં 12 ચેનલ છે, જે તમામ શરીરના દરેક હિસ્સા સાથે સંબંધ ધરાવતી હોય છે. આ ચેનલ ચેતાતંત્ર સાથે જોડાય છે.
---- જ્યારે શરીરના કોઇ ભાગમાં કોઇપણ પ્રકારની અડચણ આવે છે, એક્યુપ્રેશરના માધ્યમથી બળ આ અડચણ દૂર કરે છે અને લોહીનો પ્રવાહ, ઓક્સીજન અને સકારાત્મક ઊર્જાના સમગ્ર પ્રવાહને સુનિશ્ચિત કરે છે.
---- એક્યુપ્રેશર માટે એક કુશળ ડૉક્ટરની આવશ્યકતા હોય છે.
----એક્યુપ્રેશર માત્ર દર્દ દૂર કરવાનો જ નહીં, પણ એક સારું અને સ્થિર જીવન જીવવાનો માર્ગ છે.
----તે સ્નાયુઓની તંદુરસ્તીમાં મદદ કરે છે અને ત્વચાની બનાવટમાં સુધારો લાવવા માટે એક સૌંદર્ય ઉપચાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.
---- એક્યુપ્રેશર તમે તમારી અન્ય મેડિકલ સારવારની સાથે પણ કરાવી શકો છો. એક્યુપ્રેશરમાં એક દબાવ  બિંદુ માટે બે સંદર્ભિત ફ્રેમ, કેન્દ્રિય બિંદુ અને ટ્રિગર બિંદુ હોય છે. જ્યારે એક ખાસ બિંદુ પર જોરથી દબાણ સર્જવું હોય ત્યારે કેન્દ્ર બિંદુનો પ્રયોગ થાય છે અને ટ્રિગર બિંદુનો પ્રયોગ બિંદુની નજીકમાં દબાણ લાદવા માટે કરવામાં આવે છે.
---- દરેક બિંદુ અનેક બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે.
                    એક્યુપ્રેશરનો અર્થ છે શરીર પર 12 ચેનલોમાં રહેલા વિશિષ્ટ બિંદુઓ પર પ્રભાવ પાડવો. મુખ્ય ચેનલમાં લગભગ 365 બિંદુઓ હોય છે અને 650 એકલા દબાણ બિંદુઓ હોય છે. માટે જ એક્યુપેશર માટે એક પ્રમાણિત ડૉક્ટરની જરૂર હોય છે. પીઠની પીડા, માથાનો દુખાવો, તણાવ અને એકલતાને દૂર કરવા માટે એક્યુપ્રેશર અત્યંત કારગર છે. પણ ગર્ભવતી મહિલાઓ અને હાઇ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિઓએ આનો પ્રયોગ ન કરવો જોઇએ.
                                 

No comments:

Post a Comment