અમેરિકન સંત
વેલેન્ટાઈનની યાદમાં '૧૪ ફેબ્રુઆરી'નો દિવસ વેલેન્ટાઈન
ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રેમીઓના દિવસના રૂપમાં મનાવવામાં
આવે છે. વેલેન્ટાઈનનો શાબ્દિક અર્થ છે "પ્રેમ-પત્ર". પણ આ દિવસે પ્રણય-નિવેદનને માટે કોઈ પ્રેમ-પત્રની આવશ્યકતા નથી હોતી.
પરંતુ જે જેને પ્રેમ કરે છે , સીધો
એની સમક્ષ પોતાના પ્યારનો ઈઝહાર એક ફૂલ આપીને કરી શકે છે.
આ પ્રણય-નિવેદનને આ દિવસે ન તો કોઈ ખરાબ મને છે કે ન તો કોઈનું અપમાન કરવામાં આવે છે. મૂળ તો આ દિવસ આધુનિક અમેરિકી સભ્યતાનો એક
હિસ્સો છે, અને ત્યાંથી જ આ
ઉપભોક્તાવાદી સંસ્કૃતિની વિસ્તાર લગભગ પુરા વિશ્વમાં ફેલાઈ ચૂક્યો
છે. "વેલેન્ટાઈન ડે" કોલેજોમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. પરંતુ તેમાં પ્રેમને બદલે મલીન પ્રેમની અભિવ્યક્તિ હોય છે,
પવિત્રતા
હોતી નથી. સાચો પ્રેમ શરતી કે વાસનાત્મક હોતો
નથી. પતિ-પત્ની, ગુરૂ શિષ્ય, ભક્ત-ભગવાન, બે સાચા
મિત્રો વચ્ચે સાચો પ્રેમ વ્યક્ત થતો હોય છે.
ભારતીય પરંપરામાં પણ આવા પર્વનો ઉલ્લેખ
છે. હજારીપ્રસાદ દ્વીવેદીજીનું પુસ્તક “બાણભટ્ટની આત્મકથા” માં
મદનોત્સવનું વિસ્તૃત વર્ણન મળે છે. જેનું આયોજન ખૂબ ધૂમધામથી થતું હતું. તેને વસંતોત્સવ
પણ કહેવામાં આવતું હતું. આ ઉત્સવનો આનંદ વસંતપંચમીથી લઈને હોળીના દિવસ સુધી મનાવવામાં
આવે છે. નગરના બધા જ યુવક-યુવતીઓ નવીન વસ્ત્ર પહેરી સાજ શ્રુંગાર કરી ગલીઓમાં એકત્ર
થઈને ફરતાં હતાં અને હોળીને દિવસે મસ્તી કરતાં કરતાં આ ઉત્સવને અંતમાં વિદાય આપતા હતાં.
આ ઉત્સવ દરમ્યાન કેટલાય યુગલ એકબીજા સમક્ષ પ્રણય નિવેદનનો સ્વીકાર કરી લગ્નના બંધનથી
બંધાઈ જાય છે. આ રીતે હર્ષોલ્લાસ સાથે આ પર્વ મનાવવામાં આવતું હતું. જે આજની “મોડર્ન
સોસાયટી” માંથી લુપ્ત થવા લાગ્યું છે. પરંતુ ભારતીય આદિવાસીઓ આજે પણ આ પર્વને
ઉલ્લાસપૂર્વક ઉજવે છે. જેમાં આદિવાસીઓ પોતાની પેટાજ્ઞાતિ પ્રમાણે આ તહેવાર મનાવે છે.
આદિવાસીની એક પ્રજાતિ એને “ઘોટુલ” ના નામથી મનાવે
છે. એમાં ગામકસ્બાના આદિવાસી યુવક-યુવતીઓ ભેગા મળી નાચગાન કરે છે. એમાં એકબીજાને પસંદ
કરતાં હોય એવા યુગલ જેઓ લગ્ન કરવા માંગતા હોય તેઓ એક દિવસ પૂરતાં ત્યાંથી ભાગી જાય
છે એ તેમના પરિવારજનો તેમને શોધી લાવે છે અને ધામધૂમથી તેમના લગ્ન કરાવે છે. બસ્તર
આદિવાસીઓ આ રીતે “ઘોટુલ” મનાવે છે. (જેન આપણે ‘વેલેન્ટાઈન
ડે’
થી ઓળખીએ છીએ.) આ જ રીતે ઝાબુઆ જાતિ પણ “ભાગોરીયા” નામથી આ દિવસ
મનાવે છે. જે જોડું મેળામાં મળીને ભાગી જાય છે તેના પાછા ફર્યા પછી રીતરીવાજ પ્રમાણે
લગ્ન કરાવી અપાય છે. આ એક જ દિવસ આવી છૂટ હોય છે કે તેઓ પોતાના મનપસંદ જીવનસાથીને પસંદ
કરી શકે છે. એટલે મૂળભૂત રીતે તો ‘વેલેન્ટાઈન ડે’ ભારતીય પ્રાચીન
રૂપ છે. જેને આજે પણ આદિવાસી પ્રજાએ જીવંત રાખ્યું છે. આ દિવસની એક ખૂબસુરતી એ છે કે
આ દિવસે કોઈ પણ પ્રકારના ડર વિના પોતાના પ્રેમને અભિવ્યક્ત કરી શકાય છે અથવા તો કોઈના
પ્રણય-નિવેદનનો સ્વીકાર-અસ્વીકાર કરી શકાય છે.
ખુબસુરત ગુલાબોનો ગુલદસ્તો કે માત્ર એક
ગુલાબ આપી પૂછવામાં આવે છે કે “વિલ યુ બી માય વેલેન્ટાઈન?” કારણ
કે આજ તો એ દિવસ છે કે જે ફૂલોની જેમ કોમળ છે. તે ફક્ત ભાવનાઓને વ્યક્ત કરવાનો દિવસ
છે. આ દિવસ ફક્ત આપવા માટેનો દિવસ છે, લેવા માટેનો નહિ. આ ખૂબસુરત દિવસની ખુબસુરતી
વધારે સુંદર બનાવવા માટે કંઇક એવી સુંદર અને ભાવપૂર્ણ યાદોને સજાવવી જોઈએ જે વર્ષભર
પોતાની ખુશ્બુ વેરતી રહે અને સામેની વ્યક્તિ સાલભર માત્ર આ જ દિવસનો ઇન્તજાર કરતી રહે.
No comments:
Post a Comment