સુવાક્યો
[૧] આપણે જેટલો વધુ અભ્યાસ કરીશું, તેટલો જ આપણને આપણા અજ્ઞાનનો
અહેસાસ થશે.
[૨] જેના અંતરમાં શાંતિ હોય તેણે બાહ્ય વેદના કદી પણ પીડા આપી શકતી
નથી.
[૩] ઉઘાડા દુશ્મન સારા કે કંઈ જોખમ નથી હોતું, જે અંગત હોય છે તે
પીઠ પાછળ ઘા કરી લે છે.
[૪] ખુશી અને કાર્ય વચ્ચે જોડાણ છે. જ્યાં સુધી એવી અનુભૂતિ ન થાય
કે તમે કોઈ ઉપયોગી કાર્ય કરો છો, ત્યાં સુધી પ્રસન્નતા મળી નથી. – જવાહરલાલ નહેરુ
[૫] પોતાના મિત્રોને ચૂપકીદીથી સલાહ આપો, પરંતુ તેની પ્રશંસા ખુલ્લેઆમ
કરો.
[૬] સફળતા એને મળે છે જે સાહસ સાથે કાર્ય કરે છે, પરંતુ જે પરિણામોનો
વિચાર કરીને ભયભીત રહે છે તેમને ઓછી સફળતા મળે છે. – જવાહરલાલ નહેરુ
[૭] જે સમયને વિતાવવામાં તમને આનંદ આવતો હોય એ સમય વેડફાઈ ગયો ન
કહેવાય. – બટ્રાઁન્ડ રસેલ
[૮] જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરુષાર્થ
વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી.
[૯] બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઊભી
કરે છે. - ફ્રાંસીસ બેકન
[૧૦] આશા નાસ્તાના રૂપમાં સારી છે, ભોજનના રૂપમાં ખરાબ છે. – બેકન
No comments:
Post a Comment