નીચેના સુત્રો પાળો અને સંઘરો:---
- પુસ્તકોનું મુલ્ય રત્નો કરતાંય અધિક છે.
- પ્રજા જો રોજ બકાલા પાછળ આઠ આના ખરચતી હોય, તો તેને સુપથ્ય સાહિત્ય પાછળ ચાર આના ખરચવા જોઈએ.
- ઈશ્વરની શોધ કરતાં કરતાં આગળ જઈએ તો છેવટે ધ્યાનમાં આવે છે કે તે હૃદયમાં જ છે.
- તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું બધું જ હોય તો છોડી બતાવ તું.
- પ્રાંત:કાળે વહેલો ઉઠનાર, નિયમિત શ્રમ કરનાર, પ્રામાણિકતાથી રહેનાર એવો કોઈ માનવી જોવામાં નથી આવ્યો કે જે દુર્ભાગ્યની ફરિયાદ કરતો હોય.
- હસવામાં લોભ કરનાર ગરીબ છે, હસનાર સાચો સમૃદ્ધ છે.
- આફતોની વચ્ચે નમ્ર માણસ પૂરેપૂરો શાંત રહી શકે છે, કારણ કે તે દુનિયા પર નહિ, ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે.
- જીવન ઉપર તમને પ્રેમ છે? એમ હોય, તો સમય ગુમાવશો નહિ, કારણ કે જીવન સમયનું જ બનેલું છે.
- ઈશ્વર આપણા પક્ષે છે કે નહિ એની મને ચિંતા નથી, આપને ઈશ્વર પાખે છીએ કે કેમ એ વિચારવાનું છે.
- હે ઈશ્વર, મને તું પૈસા આપે તે કરતાં, પ્રતિષ્ઠા આપે તે કરતાં, પ્રેમ આપે તે કરતાં સત્ય આપ..
- પ્રાર્થના કરીએ કે સફળતા જીરવી શકીએ એ પહેલા એ ન આવી પહોચે.
- જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહી; તૂટેલો તાર સંધાય ખરો, પણ ગાંઠ રહી જાય.
- કરૂણાની ખેતી કરો. પરોપકારનું પાણી પાઓ, પ્રામાણિકતાનું ખાતર નાંખો, કામ અને ક્રોધના કચરાનું નિંદામણ કરો. પ્રેમનો વરસાદ થશે. સુખની કુંપળો ફૂટશે. સંતોષના દાણા આવશે અને જીવનનું ખળું ભરાઈ જશે.
- જીવનમાં શીખવાનો પહેલો પાઠ આ છે: કોઈને શીખ ન દેવાનો અને કોઈ પણ વ્યક્તિ પર દોષારોપણ ન કરવાનો દ્રઢ સંકલ્પ કરો. ખરા મનુષ્ય બનો. ઉઠો, દોષનો ટોપલો જાતે જ વહન કરો. હંમેશા એ જ સાચું છે ટેવો તમને અનુભવ થશે.
- જો તમે શાંતિ ઇચ્છતા હો તો કોઈના દોષ જોતા નહિ. જગતને પોતાનું કરી લેશો તો પારકું કોઈ નથી.
- જે લોકો ઘરમાં વૃંદાવન બનાવી શકતા નથી, એ લોકો તો વ્રજમાં જઈને પણ ઘર ઉભું કરી દે છે.
- ઔષધી ભલે બીજા આપે, ખરલ તમારી રાખજો, ઘૂંટજો તમે જ.
- તેલ ને તાણ ઘટે, તો જ હૃદયરોગ મટે.
- તમે બાળકને શાળાએ જતી વખતે નાસ્તો આપતા હો તો એકાદ ફળ જરૂર આપો. વળી, એકાદું કઠોળ અથવા સલાડ હોય તો સારું. બ્રેડ, પનીર અને પેપ્સી-કોક ન આપો. તળેલું, તૈયાર ટીન-ફૂડ ન આપો.
- જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
- ખાવું તો તોળી તોળી, પીવું તો ઘોળી ઘોળી, સૂવું તો રોળી રોળી, એ જ ઓસડ ને એ જ ગોળી.
- સૂરજ જયારે આથમવાની તૈયારીમાં હોય ત્યારસુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો તમારો દિવસ ફોગટ ગયો.
- આ જગતમાં સફળ થવા માટે બે ફેક્ટરી ખોલો: (૧) મગજમાં આઈસ ફેક્ટરી (૨) મોઢામાં સુગર ફેક્ટરી.
- આપને જે ખાઈએ છીએ તેના ત્રીજા ભાગ ઉપર આપને જીવીએ છીએ. બાકીના બે ભાગ ઉપર દાક્તરો જીવે છે.
- હું એવા જમાનાની રાહ જોઈ રહ્યો છું, જયારે લોકો માંદા પડ્યે દવા ખાવાની વિચિત્ર ટેવ છોડી દેશે.
- લાંબુ જીવન જીવવાના ટૂંકા નિયમો:---
- બને તેટલો વખત ખુલ્લી જગ્યામાં રહો.
- રોજ સવારે ઠંડા પાણીથી સ્નાન કરો.
- વધુ પડતી વાતચીત પાછળ શક્તિ ના વેડફો.
- કામમાં મંદતા જેટલી જ અતિ ત્વરા ત્યાજ્ય ગણો.
- ચિત્તને ઉત્તેજનારી લાગણીઓ અને વસ્તુઓનો ત્યાગ કરો.
- અઠવાડિયે એક દિવસ પૂર્ણ માનસિક આરામ કરો.
- તંદુરસ્તીની પરીક્ષા:---
- તમને ભૂખ બરાબર લાગે છે?
- તમને ગાઢ ઊંઘ આવે છે?
- તમને સાફ ઝાડો આવે છે?
- તમારો ચહેરો ચમકદાર છે?
- તમારું પેટ છાતીની અંદર છે?
- તમારા પગ ગરમ, પેટ નરમ અને માથું ઠંડું રહે છે?
- તમને કામ કરવામાં ઉત્સાહ રહે છે?
- તમે બધા સાથે મીઠાશથી વર્તો છો?
- તમે દરરોજ સાધના કરો છો?
- તમારું જીવન નિયમિત છે?
આ
તમામ પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો તમે તંદુરસ્ત છો.
- ત્રણ દાક્તરો રોકો:---
- ડૉ. ક્વાયેટ (શાંતિ)
- ડૉ. મેરિમેન (આનંદ)
- ડૉ. ડાયેટ (ખોરાક)
- જાણીતા ઇતિહાસકાર ચાર્લ્સ બીઅર્ડને કોઈએ પ્રશ્ન પૂછ્યો: “ઈતિહાસમાંથી આપને શો બોધ મળ્યો છે તેનો ટૂંકમાં સાર આપશો?”
- ભગવાન જેનો નાશ ચાહે છે તેને પ્રથમ સત્તાના મદથી પાગલ બનાવે છે.
- ઈશ્વરની ઘંટી ધીમું દળે છે, પણ દળે છે ત્યારે ખૂબ ઝીણું દળે છે.
- મધમાખી જે ફૂલને લૂંટે છે, તેને જ ફલિત કરતી જાય છે.
- અંધારું પૂરેપૂરું ગાઢ હોય ત્યારે આકાશમાં તારાઓ જોઈ શકાય છે.
No comments:
Post a Comment