Blogger Widgets અરમાન: માતા-પિતાની પ્રેરણા – ૧

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, September 2, 2014

માતા-પિતાની પ્રેરણા – ૧

       માતા-પિતા બાળકોને વિજ્ઞાન, ગણિત કે ભાષા જ શીખવી શકે તો તો જીવનના સિદ્ધાંતો શીખવી જ શકે અને સફળતા જીવનના સિદ્ધાંતોથી જ રચાતી હોય છે.




         ચીનના મહાન સંત લાઓત્સેના બાળપણની ઘટના છે. લાઓત્સેના ઘરમાં તેમની માતાએ સરસ બગીચો બનાવ્યો હતો. એકવાર તેમની માતાને શહેરની બહાર જવાનું થયું. તે ચિંતામાં હતી, હું જઈશ પછી આ બગીચાના છોડ અને વૃક્ષોનું ધ્યાન કોણ રાખશે? લાઓત્સેએ માતાની આ ચિંતા જોઈ કહ્યું, હું રોજ આ વૃક્ષોને પાણી પાઈશ અને તેમની કાળજી લઈશ. આ આશ્વાસનથી માતા થોડા દિવસ માટે બહારગામ ગયા., પરંતુ પાછા આવીને જુએ તો દરેક છોડ અને ઝાડ સૂકાઈ ગયેલા અને નિરાશ લાઓત્સે બગીચામાં બેઠા હતા. માતાએ પૂછ્યું, આ શું થયું? બધા ઝાડ અને છોડ કેમ સૂકાઈ ગયા? લાઓત્સેએ કહ્યું, હું તો રોજ પાણી પાઉં છું છતાં બધું જ સૂકાઈ ગયું. માતાએ કહ્યું, કેવી રીતે પાણી પાઓ છો?. ત્યારે લાઓત્સેએ ઉભા થઈને એક એક છોડના પાંદડા પર પાણી રેડવાનું શરુ કર્યું. માતાએ સમજાવ્યું, પાણી પાંદડા પર નહિ, મૂળ પર રેડવાનું હોય છે.

બાળકોને જીવનમાં જે સૌથી અગત્યનું શીખવવાનું છે એ છે જીવનના મૂળ પર પુરુષાર્થ કરવાનું. આજે દેખાવ અને બાહ્ય આવડત પર જ વધારે ધ્યાન આપવાથી યુવાપેઢી આપની સામે છે. આવનારી પેઢીમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે બાળકના જીવનના પાયાના ગુણો પર ધ્યાન આપવાનું શીખવવું જોઈએ.
 


No comments:

Post a Comment