“માતા-પિતા
બાળકોને વિજ્ઞાન, ગણિત કે ભાષા
જ શીખવી શકે તો તો જીવનના
સિદ્ધાંતો શીખવી જ શકે અને સફળતા
જીવનના સિદ્ધાંતોથી જ રચાતી હોય છે.”
ચીનના મહાન સંત લાઓત્સેના બાળપણની ઘટના છે. લાઓત્સેના ઘરમાં તેમની માતાએ સરસ બગીચો બનાવ્યો
હતો. એકવાર તેમની માતાને શહેરની બહાર
જવાનું થયું. તે
ચિંતામાં હતી, “હું જઈશ પછી આ બગીચાના છોડ અને વૃક્ષોનું ધ્યાન કોણ રાખશે?” લાઓત્સેએ માતાની આ ચિંતા જોઈ કહ્યું,
“હું રોજ આ વૃક્ષોને પાણી પાઈશ અને તેમની કાળજી લઈશ.” આ આશ્વાસનથી માતા થોડા દિવસ માટે
બહારગામ ગયા., પરંતુ પાછા આવીને જુએ તો દરેક છોડ અને ઝાડ સૂકાઈ ગયેલા અને નિરાશ લાઓત્સે
બગીચામાં બેઠા હતા. માતાએ પૂછ્યું, “આ શું થયું? બધા ઝાડ અને છોડ કેમ સૂકાઈ ગયા?” લાઓત્સેએ કહ્યું, “હું તો રોજ પાણી પાઉં છું છતાં બધું
જ સૂકાઈ ગયું.” માતાએ
કહ્યું, “ કેવી રીતે પાણી પાઓ છો?.
ત્યારે લાઓત્સેએ ઉભા થઈને એક એક છોડના પાંદડા પર પાણી રેડવાનું શરુ કર્યું. માતાએ સમજાવ્યું,
“પાણી પાંદડા પર નહિ, મૂળ પર રેડવાનું હોય છે.”
“બાળકોને
જીવનમાં જે સૌથી
અગત્યનું શીખવવાનું
છે એ છે જીવનના મૂળ પર પુરુષાર્થ કરવાનું. આજે દેખાવ અને બાહ્ય આવડત પર જ વધારે ધ્યાન આપવાથી યુવાપેઢી આપની સામે છે. આવનારી પેઢીમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે બાળકના
જીવનના પાયાના ગુણો પર ધ્યાન આપવાનું શીખવવું જોઈએ.”
No comments:
Post a Comment