એક વટેમાર્ગુ ફૂલોથી
છવાયેલા એક વૃક્ષને જોઈને બોલ્યો કે તું તો ફૂલી તથા ફાલી રહ્યું છે, જયારે હું ભૂખે
મરી રહ્યો છું. ભગવાને મારી સાથે આવો અન્યાય કેમ કર્યો?
વૃક્ષે હસતાં હસતાં
કહ્યું કે જો તે પાનખરમાં મારા કષ્ટો જોયા હોત તો તને ખબર પડત કે આ ફૂલો તથા ફળો કેટલી
કઠોર તપશ્ચર્યાંથી મેં પ્રાપ્ત કર્યા છે. તું પણ એવો કઠોર પુરુષાર્થ કરી જો. તેનાથી
જ જીવનમાં સમૃદ્ધિ અને સંતોષ મળે છે.
No comments:
Post a Comment