Blogger Widgets અરમાન: તો શું બગડે માણસનું?

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, February 4, 2014

તો શું બગડે માણસનું?

                                                  


        

               તોછડા તેજેન્દરને એકવાર એના માથાનો રિક્શાવાળો મળી ગયો. રાજસ્થાનના એક નાનકડા શહેરમાં કોઈક કામસર એનું જવાનું થયું. ત્યાં તો શહેરની જેમ મીટર પર કે અલાયદા પ્રવાસી માટે રિક્શા હોય નહીં. તેજેન્દરે પરાણે એવી રિક્શામાં બેસવું પડ્યું જેમાં ત્રણ જણની જગ્યામાં છ-સાત જણને ઠઠારવામાં આવે. અને પછી થઈ એની અને રિક્શાવાળાની બોલાચાલી. તેજેન્દરના શહેરી લટકા-મટકા સામે રિક્શાવાળાએ રોકડું પરખાવી દીધું, “સાહેબ, બેઠણું હે તો બેઠો બાકી નીચે ઉતર જાવ ઔર પૈદલ નિકલો અપને રસ્તે.” સમસમીને તેજેન્દર બેઠો રહ્યો. કરે પણ શું, બળબળતા તડકામાં ચાલતા જવાનો વિચાર પણ ભારે પડે એવો હતો અને બીજી કોઈ રિક્શા અત્યારે મળે એ વાતમાં પણ માલ નહોતો. ટૂંકમાં, લક્ઝરી અને એશોઆરામવાળો પ્રવાસ કરવાને ટેવાયેલા તેજેન્દરે રિક્શાવાળાની મણમણની સાંભળવી પડી, આખે રસ્તે અને જેમ એને બેસાડવામાં આવ્યો તેમ બેસીને પરાણે પ્રવાસ પણ પૂરો કરવો પડ્યો. પરાણે ચૂપ રહેવાનું, લાંબી જીભને ટૂંકી કરવાનું, અગવડ ચલાવી લેવાની એ બધું જો સ્વેચ્છાએ પણ સ્વીકારી લેવામાં આવે તો શું બગડે માણસનું? દરેક હાલમાં, દરેક તાલમાં, દરેક સ્થિતિમાં અને દરેક જગ્યામાં મીઠી જુબાન હોય, જરૂર પડ્યે સમાધાન કરી લેવાની ઉદારતા હોય અને જ્યાં જઈએ ત્યાં રોફ કે રૂવાબથી નહીં પણ વ્હાલથી અને માનથી પોતાની જગ્યા બનાવી લેવાની ઇચ્છા હોય તો ક્યારેય દુ:ખી થવાય કે? જરાય ના થવાય, જેને માણસમાત્રમાં મિત્ર મળી શકે, તકલીફમાત્રમાં રાહત મેલવતા આવડી જાય એને વળી શાની પીડા અને શાનું દુ:ખ? જેટલી સારી રીતે મિત્રો બનાવશો અને બદલાતી સ્થિતિમાં ગોઠવાતા જશો એટલી સારી રીતે જિંદગીને માનવામાં નિષ્ણાત થઈ જશો. એકવાર પોતાનો રૂવાબ અને બિનજરૂરી દેખાડો એ બધાનો બોજ પડતો મૂકીને સારું વર્તન કરી તો જુઓ, ફરક આપોઆપ સમજાઈ જશે.

No comments:

Post a Comment