Blogger Widgets અરમાન: સંતાનને ભૂલશો નહિ

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Wednesday, February 12, 2014

સંતાનને ભૂલશો નહિ

ભૂલો  ભલે  બીજું  બધું  સંતાનને  ભૂલશો  નહિ,
અગણિત  છે ફરજો મારી  એને  વિસરશો  નહિ.

સંતાનને  ઘડવાની  આજ્ઞા  આપી તમને ઈશ્વરે,
સંતાનના ઘડતરમાં  ખામી કોઈદી રાખશો નહિ.

અવગુણ  તમારી  જિંદગીમાં કેટલાયે  હો   ભલે,
સંતાન આગળ અવગુણોને પ્રગટ કદી કરશો નહિ.

હો ભલે શિક્ષિત, અશિક્ષિત, અલ્પ શિક્ષિત પણ તમે,
સંતાનના  શિક્ષણ  મહીં  પાછા  કદી  પડશો  નહિ.

સ્વામી  હો  કે  ગૃહિણી હો ને  હો પરસ્પર પ્રેમ પણ,
સંતાન  આગળ  પ્રેમની  રેખા  કદી  વટશો   નહિ.

સંસ્કાર   સારા   જિંદગીમાં   હોય   સિંચાયેલ   તો,
સંસ્કારમાં     સિંચવાનું   કદી   વિસરશો   નહિ.

જે   આપશો  તે  પામશો  જેવાં  હશો  તેવાં  થશે,
જેવાં ઘડો તેવાં ઘડાશે એ વાત કદી વિસરશો નહિ.

ગુણમાં  તમારાથી  સવાયા  નામ   તમ  રાખશે,
ઘડપણ  મહીં  થાશે  સહારો  વાત   ભૂલશો નહિ.

સંતાનનું  સુખ  સૌથી  મોટું   દુ:ખ  પણ  સંતાનથી,
શાંતિ   માટે   જીવનમાં   સંતાનને   ભૂલશો   નહિ.

No comments:

Post a Comment