- બાળકને બોલતા શીખવામાં બે વરસ લાગે છે, જયારે માણસને ચૂપ રહેતા શીખવવામાં સાંઠ વરસ લાગે છે.
- ઝાડ મને ખૂબ ગમે છે, કારણ કે તે હંમેશા મૂંગા રહે છે.
- વાતચીત એટલે લોકો જેટલું જાણવા માંગતા હોય તેના કરતા જરીક ઓછુ તેમને કહેવાની કળા.
- વધારે બોલવું એ મુસીબતનું એંધાણ, વધારે ખાવું એ રોગનું એંધાણ.
- કોઈના ચરણ ધોવા નહિ પડે, માત્ર આચરણ સાફ રાખો.
- વગર લેવે દેવે કોઈને કંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
- આજે ભણવાનું સૌ કોઈ જાણે છે, પણ શું ભણવું જોઈએ તે કોઈ જંતુ નથી.
- આપણા અનુભવમાંથી આપણને ડહાપણ મળે છે અને આપની મુર્ખાઈઓમાંથી આપણને અનુભવ મળે છે.
- જે જવાન રોતો નથી તે જંગલી છે, જે વૃદ્ધ હસતો નથી તે મૂર્ખ છે.
- ક્રોધ કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપની જાત પર લેવો.
- પાંચ મણની કાયામાં કિંમત તો માત્ર ૧૦૦ ગ્રામના નાકની જ છે.
- તર્ક લડાવ્યા કરે તે બુદ્ધિવાદી અને તક ઝડપી લે તે બુદ્ધિશાળી.
- નાના ગુંડાના ત્રાસમાંથી મોટો ગુંડો છોડાવે તોય જીત તો ગુંડાગીરીની જ ગણાય.
- જીવનમાં સદભાવના અને સદઆચરણ રાખવું એ જ સાચી પ્રભુસેવા છે.
- ખાલી પેટ એ સવાલ નથી પણ ખાલી દિમાગ એ સવાલ છે.
- અતિ જ્ઞાની અને અજ્ઞાનીને પણ સૌથી વધુ ખતરો અર્ધજ્ઞાનીનો હોય છે.
- ઈશ્વર એક જ વાર એક ક્ષણ આપે છે અને બીજી ક્ષણ દેતાં પહેલા તે ક્ષણને લઇ લે છે.
- ચારિત્ર્ય વિનાની સ્ત્રી જેવી જ દશા સામર્થ્ય વિનાના પુરુષની થાય છે.
- માફ કરવું ઉત્તમ છે, પણ ભૂલી જવું એ સર્વોત્તમ છે.
- મનુષ્યથી ડરવું એ ઈશ્વર પ્રત્યેના વિશ્વાસના અભાવનું દ્યોતક છે. – ગાંધીજી
- ત્રાસવાદી કરતાંય ખતરનાક એ છે જે સત્તા – સામર્થ્ય છતાં સમાધાનો કાર્ય કરે.
- ટોચના શિખર પર કદમ મૂકી તો પર્વત આપોઆપ તળેટી બની જશે.
- દુશ્મનોના દિલ જીતવામાં દિમાગ પણ બહેર મારી જાય.
- ઘમંડથી માણસ ફુલાય છે, પણ વ્યાપી શકતો નથી.
- સફળતા એવી સીડી છે જેના સોપાન ખિસ્સામાં હાથ રાખીને ચડી શકાય નહિ.
- જે કાર્ય કરવા શક્તિમાન છે તે કાર્ય કરે છે, પણ જે કરી શકે તેમ નથી તે ખાલી શિખામણ જ આપે છે. – બર્નાડ શો.
EXCEL VIDEOS
સુવિચાર
Thursday, August 8, 2013
સુવાક્યો - ૩
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment