Blogger Widgets અરમાન: સુવાક્યો - ૩

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, August 8, 2013

સુવાક્યો - ૩



  1. બાળકને બોલતા શીખવામાં બે વરસ લાગે છે, જયારે માણસને ચૂપ રહેતા શીખવવામાં સાંઠ વરસ લાગે છે.
  2. ઝાડ મને ખૂબ ગમે છે, કારણ કે તે હંમેશા મૂંગા રહે છે.
  3. વાતચીત એટલે લોકો જેટલું જાણવા માંગતા હોય તેના કરતા જરીક ઓછુ તેમને કહેવાની કળા.
  4. વધારે બોલવું એ મુસીબતનું એંધાણ, વધારે ખાવું એ રોગનું એંધાણ.
  5. કોઈના ચરણ ધોવા નહિ પડે, માત્ર આચરણ સાફ રાખો.
  6. વગર લેવે દેવે કોઈને કંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
  7. આજે ભણવાનું સૌ કોઈ જાણે છે, પણ શું ભણવું જોઈએ તે કોઈ જંતુ નથી.
  8. આપણા અનુભવમાંથી આપણને ડહાપણ મળે છે અને આપની મુર્ખાઈઓમાંથી આપણને અનુભવ મળે છે.
  9. જે જવાન રોતો નથી તે જંગલી છે, જે વૃદ્ધ હસતો નથી તે મૂર્ખ છે.
  10. ક્રોધ કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપની જાત પર  લેવો.
  11. પાંચ મણની કાયામાં કિંમત તો માત્ર ૧૦૦ ગ્રામના નાકની જ છે.
  12. તર્ક લડાવ્યા કરે તે બુદ્ધિવાદી અને તક ઝડપી લે તે બુદ્ધિશાળી.
  13. નાના ગુંડાના ત્રાસમાંથી મોટો ગુંડો છોડાવે તોય જીત તો ગુંડાગીરીની જ ગણાય.
  14. જીવનમાં સદભાવના અને સદઆચરણ રાખવું એ જ સાચી પ્રભુસેવા છે.
  15. ખાલી પેટ એ સવાલ નથી પણ ખાલી દિમાગ એ સવાલ છે.
  16. અતિ જ્ઞાની અને અજ્ઞાનીને પણ સૌથી વધુ ખતરો અર્ધજ્ઞાનીનો હોય છે.
  17. ઈશ્વર એક જ વાર એક ક્ષણ આપે છે અને બીજી ક્ષણ દેતાં પહેલા તે ક્ષણને લઇ લે છે.
  18. ચારિત્ર્ય વિનાની સ્ત્રી જેવી જ દશા સામર્થ્ય વિનાના પુરુષની થાય છે.
  19. માફ કરવું ઉત્તમ છે, પણ ભૂલી જવું એ સર્વોત્તમ છે.
  20. મનુષ્યથી ડરવું એ ઈશ્વર પ્રત્યેના વિશ્વાસના અભાવનું દ્યોતક છે.  ગાંધીજી
  21. ત્રાસવાદી કરતાંય ખતરનાક એ છે જે સત્તા સામર્થ્ય છતાં સમાધાનો કાર્ય કરે.
  22. ટોચના શિખર પર કદમ મૂકી તો પર્વત આપોઆપ તળેટી બની જશે.
  23. દુશ્મનોના દિલ જીતવામાં દિમાગ પણ બહેર મારી જાય.
  24. ઘમંડથી માણસ ફુલાય છે, પણ વ્યાપી શકતો નથી.
  25. સફળતા એવી સીડી છે જેના સોપાન ખિસ્સામાં હાથ રાખીને ચડી શકાય નહિ.
  26. જે કાર્ય કરવા શક્તિમાન છે તે કાર્ય કરે છે, પણ જે કરી શકે તેમ નથી તે ખાલી શિખામણ જ આપે છે.  બર્નાડ શો.

No comments:

Post a Comment