Blogger Widgets અરમાન

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Monday, December 24, 2012

ધોરણ - 8  સામાજિક વિજ્ઞાન  વિષયના બીજા સત્રના પ્રતિનિધિરૂપ હેતુઓ:---
  1. વિદ્યાર્થીઓ  19 મી સદીના ભારતમાં સામાજિક અને ધાર્મિક પરિવર્તન લાવનારા સમાજ સુધારકો વિશે જાણે તેમજ તેમના કાર્યોથી માહિતગાર થાય.
  2. વિદ્યાર્થીઓ  ભૂતકાળની અને હાલની ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિનો તુલનાત્મક અભ્યાસ કરી માહિતી મેળવે.
  3. વિદ્યાર્થીઓ  પર્યાવરણીય પ્રદૂષણો અને તેની અસરો જાણે તથા પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોની સમજ કેળવે.
  4. વિદ્યાર્થીઓ  બ્રિટીશ શાસન સામે ભારતમાં ઉદ્ ભવેલ રાષ્ટ્રવાદ વિશે જાણકારી મેળવે.
  5. વિદ્યાર્થીઓ ભારતની સંઘ સરકારના એક અંગ તરીકે ન્યાયતંત્ર વિશે જાણકારી મેળવે. 
  6. ભારતની  વળી અદાલત અને સર્વોચ્ચ અદાલતની રચના તથા તેના કાર્યો વિશે જાણકારી મેળવે.
  7.  વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે જાણે.
  8. વિદ્યાર્થીઓ  માનવ સંસાધન વિશે જાણે.
  9. વિદ્યાર્થીઓ  ગાંધીજીનું ભારતમાં આગમન અને તેમના સમયની ચળવળો વિશે જાણે.
  10. વિદ્યાર્થીઓ  વસ્તી વિસ્ફોટથી ઉદ્ ભવતી સમસ્યાઓ જેવી કે - નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે સમસ્યાઓ જાણે.
  11.  વિદ્યાર્થીઓ  વસ્તી વિસ્ફોટથી ઉદ્ ભવતી સમસ્યાઓ જેવી કે - નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે સમસ્યાઓને હલ કરવાના ઉપાયો જાણે.
  12. વિદ્યાર્થીઓ ભારતની અર્થવ્યવસ્થાથી માહિતગાર બને.
  13. વિદ્યાર્થીઓ ભારતમાં બ્રિટીશ શાસન સમયની સવિનય કાનૂનભંગની  ચળવળ, ગોળમેજી પરિષદો અને હિન્દ છોડો લડત વિશે જાણે.
  14. વિદ્યાર્થીઓ સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)અને તેની વિવિધ સંસ્થાઓ વિશે જાણે.
  15. વિદ્યાર્થીઓ પંચશીલના સિદ્ધાંતો જાણે અને વિશ્વબંધુત્વની ભાવના કેળવે.
  16. વિદ્યાર્થીઓ ભારતની આઝાદી અને તે સમયની સમસ્યાઓથી માહિતગાર બને.
  17. વિદ્યાર્થીઓ ભારતના રાજ્યોની પુનર્રચના, મહાગુજરાતની ચળવળ, ફ્રેંચ અને પોર્ટુગીઝ શાસનથી સ્વતંત્રતા વિશે જાણે.
  18. ભારત-પાકિસ્તાન સંબંધો  અને આજના ભારતની પરિસ્થિતિ વિશે જાણે.
  19. વિદ્યાર્થીઓ આફ્રિકા ખંડનો પરિચય મેળવે.
  20. વિદ્યાર્થીઓ એશિયા ખંડનો પરિચય મેળવે.

No comments:

Post a Comment