ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન વિષયના બીજા સત્રના પ્રતિનિધિરૂપ હેતુઓ:---
- વિદ્યાર્થીઓ 19 મી સદીના ભારતમાં સામાજિક અને ધાર્મિક પરિવર્તન લાવનારા સમાજ સુધારકો વિશે જાણે તેમજ તેમના કાર્યોથી માહિતગાર થાય.
- વિદ્યાર્થીઓ ભૂતકાળની અને હાલની ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિનો તુલનાત્મક અભ્યાસ કરી માહિતી મેળવે.
- વિદ્યાર્થીઓ પર્યાવરણીય પ્રદૂષણો અને તેની અસરો જાણે તથા પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોની સમજ કેળવે.
- વિદ્યાર્થીઓ બ્રિટીશ શાસન સામે ભારતમાં ઉદ્ ભવેલ રાષ્ટ્રવાદ વિશે જાણકારી મેળવે.
- વિદ્યાર્થીઓ ભારતની સંઘ સરકારના એક અંગ તરીકે ન્યાયતંત્ર વિશે જાણકારી મેળવે.
- ભારતની વળી અદાલત અને સર્વોચ્ચ અદાલતની રચના તથા તેના કાર્યો વિશે જાણકારી મેળવે.
- વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે જાણે.
- વિદ્યાર્થીઓ માનવ સંસાધન વિશે જાણે.
- વિદ્યાર્થીઓ ગાંધીજીનું ભારતમાં આગમન અને તેમના સમયની ચળવળો વિશે જાણે.
- વિદ્યાર્થીઓ વસ્તી વિસ્ફોટથી ઉદ્ ભવતી સમસ્યાઓ જેવી કે - નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે સમસ્યાઓ જાણે.
- વિદ્યાર્થીઓ વસ્તી વિસ્ફોટથી ઉદ્ ભવતી સમસ્યાઓ જેવી કે - નિરક્ષરતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે સમસ્યાઓને હલ કરવાના ઉપાયો જાણે.
- વિદ્યાર્થીઓ ભારતની અર્થવ્યવસ્થાથી માહિતગાર બને.
- વિદ્યાર્થીઓ ભારતમાં બ્રિટીશ શાસન સમયની સવિનય કાનૂનભંગની ચળવળ, ગોળમેજી પરિષદો અને હિન્દ છોડો લડત વિશે જાણે.
- વિદ્યાર્થીઓ સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)અને તેની વિવિધ સંસ્થાઓ વિશે જાણે.
- વિદ્યાર્થીઓ પંચશીલના સિદ્ધાંતો જાણે અને વિશ્વબંધુત્વની ભાવના કેળવે.
- વિદ્યાર્થીઓ ભારતની આઝાદી અને તે સમયની સમસ્યાઓથી માહિતગાર બને.
- વિદ્યાર્થીઓ ભારતના રાજ્યોની પુનર્રચના, મહાગુજરાતની ચળવળ, ફ્રેંચ અને પોર્ટુગીઝ શાસનથી સ્વતંત્રતા વિશે જાણે.
- ભારત-પાકિસ્તાન સંબંધો અને આજના ભારતની પરિસ્થિતિ વિશે જાણે.
- વિદ્યાર્થીઓ આફ્રિકા ખંડનો પરિચય મેળવે.
- વિદ્યાર્થીઓ એશિયા ખંડનો પરિચય મેળવે.
No comments:
Post a Comment